બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Latest Bihar hooch tragedy news in gujarati
vtvAdmin
Last Updated: 01:16 PM, 15 April 2023
બિહારમાં ફરી એકવાર દારૂનો કહેર જોવા મળ્યો છે. મોતિહારી જિલ્લામાં દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકોએ આંખોની રોશની ગુમાવી છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વાત જાણે એમ છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે જ ડોકટરોને કહ્યું કે તેઓએ દારૂ પીધો હતો અને ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. દર્દીઓના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઝેરી દારૂ પીને જ આ લોકોની હાલત બગડી છે.
બિહારની મોતિહારી સદર હોસ્પિટલમાં તૈનાત એક ડોક્ટરે જણાવ્યું કે, દર્દીઓએ દારૂ પીધો હોવાનું સ્વીકાર્યું છે. જોકે પ્રશાસન પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને બિસરા તપાસ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યું છે. મોતિહારી અને મુઝફ્ફરપુર સિવિલ સર્જને પહેલા તેને ડાયેરિયા કહીને શંકાસ્પદ મૃત્યુ ગણાવ્યું હતું, પરંતુ જ્યારે દર્દીઓએ દારૂ પીવાની અને આંખમાં કંઈ ન દેખાતું હોવાની વાત કહી ત્યારે ડૉક્ટરોની શંકા વધુ ઘેરી બની. હાલમાં દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ઘટના બાદ તંત્ર એલર્ટ
આ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. જેને લઈ તાત્કાલિક અસરથી ડૉક્ટરોની ટીમ ગામમાં મોકલવામાં આવી છે. ટીમ ગામમાં દરેક સભ્યોની તપાસ કરી રહી છે. જે પણ શંકાસ્પદ જણાશે તેને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ધ્રુવ પાસવાન, વિનોદ પાસવાન, અશોક પાસવાન, રામેશ્વર રામ અને હરસિદ્ધિના પિતા-પુત્ર પરમેન્દ્ર દાસ અને નવલ દાસ, ટુનટુન સિંહ અને પહાડપુર ગામના ભૂતાન માંઝીના મોત થયા છે. બીજી તરફ પહારપુર ગામના ભોલા પ્રસાદની હાલત નાજુક છે. સદર હોસ્પિટલના ડૉ.અમિત અને ગ્રામ્ય હૉસ્પિટલના ડૉ.વિનોદનું મોત નકલી દારૂના કારણે થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ