બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / વિશ્વ / 'Lashkar-e-Taiba terror organization for us from today', Israel's big announcement ahead of 26/11 anniversary
Priyakant
Last Updated: 02:42 PM, 21 November 2023
Israel Hamas War : ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતે ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી હતી અને તેને આતંકવાદ પણ ગણાવ્યો હતો. હવે આતંકવાદ સામે ભારતના સંકલ્પને સમર્થન આપતા ઈઝરાયલે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે મંગળવારે આ માહિતી આપી હતી.
લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન જાહેર
ઈઝરાયલની એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 26/11ના મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ભારત સરકાર તરફથી ઈઝરાયલને કોઈ અપીલ કરવામાં આવી ન હતી તેમ છતાં દેશ દ્વારા જ આ પગલું લેવામાં આવ્યું છે. ઈઝરાયલની દૂતાવાસે કહ્યું કે તમામ જરૂરી દસ્તાવેજો અને વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને તેની સાથે હવે લશ્કર-એ-તૈયબાને ઈઝરાયલની ગેરકાયદેસર આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
મુંબઈ હુમલામાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો
નોંધનીય છે કે, 26 નવેમ્બર 2008ના રોજ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગથી મુંબઈને હચમચાવી નાખ્યું હતું. આ આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો 29 નવેમ્બર સુધી ચાલુ રહ્યો. આમાં નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને જીવતા પકડાયેલા આતંકવાદી કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. પાકિસ્તાની આતંકવાદીઓએ યહૂદીઓના પૂજા સ્થળ, ચાબડ હાઉસ (નરીમાન હાઉસ)ને પણ નિશાન બનાવ્યું હતું. બે હુમલાખોરોએ યહૂદીઓને બંધક બનાવ્યા હતા. અહીં તેણે રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને તેની ગર્ભવતી પત્ની રિવકાહ હોલ્ટ્ઝબર્ગ સહિત છ લોકોની હત્યા કરી હતી. ઈઝરાયલ દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime