બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 04:04 PM, 8 September 2022
બ્રોકોલી હવે આપણાં કિચનમાં શામેલ થઈ ચુકી છે. એટલે કે આપણી મમ્મી કે દાદીના રસોડામાં બ્રોકોલી ન હતી. તે ગ્લોબલ માર્કેટ બાદ આપણી પ્લેટ સુધી પહોંચી છે. આજના સમયમાં આપણે એવા સુપરફૂડ્સ સુધી પહોંચી ગયા છીએ જેના વિશે આપણે પહેલા બિલકુલ જાણતા ન હતા.
બ્રોકોલી વાસ્તવમાં પોષક તત્વોનો ખજાનો છે. લીલા શાકભાજી તરીકે તેના ઘણા ફાયદા છે. બ્રોકોલીને તમે સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો. પરંતુ શું તેને ખાધા પછી તમને અપચો કે અન્ય સમસ્યાઓ થવા લાગે છે? અથવા તો તેને ખાવાથી એલર્જી થાય છે તો જાણો તેનું કારણ શું છે.
બ્રોકોલી ખાવાના સાઈડ ઈફેક્ટ્સ
ગેસ અને પેટનું ફૂલવું
બ્રોકોલીને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. પરંતુ તેને ખાવાથી ઘણા લોકોને તકલીફ થાય છે. સાથે જ તે ગેસ અને પેટનું ફૂલવું કારણ બની શકે છે. એક રિપોર્ટમાં બ્રોકોલીને ગેસ બનતા ટ્રિગર્સનું પ્રત્સાહન આપવાનો ઉલ્લેખ છે.
રિપોર્ટ મુજબ, બ્રોકોલી પણ ફૂલકોબીની જેમ સૌથી વધુ ગેસ ઉત્પન્ન કરતી શાકભાજીમાંથી એક છે. તેને ખાવાથી લોકોને ગેસ અને પેટ ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. તેથી, ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.
થાઈરોઈડ
જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે બ્રોકોલીનું સેવન ન કરવું જોઈએ. નિષ્ણાંતોના મતે, બ્રોકોલીમાં ગોઇટ્રોજેન્સ નામનું રસાયણ હોય છે. જે આયોડીનના સેવનમાં હસ્તક્ષેપ કરીને થાઈરોઈડ ગ્રંથિના કાર્યને દબાવી દે છે.
જે થાઈરોઈડ હોર્મોન બનાવવા માટે જરૂરી એક મુખ્ય ખનિજ છે. જણાવી દઈએ કે આયોડિન લેવાથી આ અવરોધને કારણે થાઈરોઈડ ગ્રંથિ મોટી થઈ જાય છે. તેનાથી ગોઇટર પણ થઇ શકે છે. બ્રોકોલી ગોઇટ્રોજેન્સથી ભરેલી હોય છે.
દવા પર અસર કરશે
લોહી પાતળું થવાની દવાઓ લેનારા લોકોએ બ્રોકોલીના સેવનથી દૂર રહેવું જોઈએ. માહિતી અનુસાર, બ્રોકોલીમાં વિટામિન K હોય છે અને આ તમારી દવાના પ્રભાવને અસર કરી શકે છે.
પ્રેગ્નેન્સી
પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ ઘણીવાર ખાવા-પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી તેમને નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓમાં બ્રોકોલી પણ સામેલ છે. સગર્ભા સ્ત્રીઓએ બ્રોકોલીનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. નહિંતર, તે સ્ત્રી અને ગર્ભ બંનેના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર