બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / વિશ્વ / Just before the Nepal plane crash the Indian youth was live on Facebook video of the tragedy
Kishor
Last Updated: 08:22 PM, 15 January 2023
નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું એટીઆર 72 વિમાન ક્રેશ થયું હતું. રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા જે તમામ 72 લોકોના મોત થયા હોવાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ ઘટના દરમિયાન પ્લેનમાં 5 ભારતીય મુસાફરો પણ સવાર હતા.જેમાં દુર્ઘટના પહેલા જ ભારતીય યુવાન ફેલબુલ ઉપર લાઈવ હતો. જે વેળાની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હચમચાવી નાખતો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
નેપાળ પ્લેન ક્રેશનો લાઇવ Video#NepalPlaneCrash #vtvgujarati #livevideo #planecrash #nepal pic.twitter.com/wWW4O1tU5V
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 15, 2023
વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર યુવાનો પ્લેન અંદર એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા આ દરમિયાન પ્લેનમાં આગ ભભૂકી ઉઠે છે અને પ્રચંડ ધડાકો સંભળાઇ છે. ત્યારબાદ વીડિયોમાં આગ સાથે મરણચીસો સંભળાઇ છે. આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે પણ દુઃખ વ્યકત કરી સંવેદના પાઠવી છે.
72 મુસાફરોના મોત થયા
મહત્વનું છે કે યતી એરલાઈન્સની ATR-72 ફ્લાઈટ પોખરા એરપોર્ટ પહોંચે તેના 10 સેકન્ડ પહેલા જ આ અકસ્માત થયો હતો. જેમાં 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે. પ્લેનમાં સવાર પાંચ ભારતીયોના નામ સંજય જયસ્વાલ, સોનુ જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા હોવાનું પણ સામે આવ્યું છે.
પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન 14 દિવસ પહેલા કરાયું હતું
નેપાળના પોખરા એરપોર્ટ ચીનની મદદથી બનાવવામાં આવ્યું છે, આ એરપોર્ટને બનાવવા માટે ચીનની એક્ઝિમ બેંકે નેપાળને લોન આપી હતી. જણાવી દઈએ કે આ એરપોર્ટનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું અને જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે જ વિમાનની ડેમો ફ્લાઇટ ઉદ્ઘાટનના દિવસે કરવામાં આવી હતી.
વિમાનમાં હતા 5 ભારતીય મુસાફરો સવાર
એક રિપોર્ટ અનુસાર આ વિમાનમાં નેપાળના 53, ભારતના 5, રશિયાના 4, દક્ષિણ કોરિયાના 2, આયર્લેન્ડના 1, આર્જેન્ટીના અને એક ફ્રાંસના નાગરિકો હતા. આ સાથે જ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ગૃહ પ્રધાન રવિ લામિછા ઇમરજન્સી મિટિંગ પછી સીધા કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ