બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Jagannathji temple gauchar land builder Yasin ganibhai ghanchi ahmedabad

અમદાવાદ / 800 કરોડનું કૌભાંડઃ જગન્નાથજી મંદિરને ગૌ સેવા માટે મળેલી જમીન બિલ્ડર યાસિન ઘાંચીને પધરાવી દીધી

Hiren

Last Updated: 01:27 PM, 29 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગન્નાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા ફાળવેલી ગૌચરની જમીન અન્યને રૂ.800 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ થતા ચેરિટી કમિશનર દ્વારા જમીનની હાલ રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે.

  • અશાંત ધારાની મંજુરી વિના ગૌચરની જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી
  • AMCએ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી
  • અગાઉ મહંત દિલીપદાસજી મહારાજે યાસીન ઘાંચીને ભાડાપટ્ટે આપી હતી જમીન

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. મંદિરને મળેલી જમીન મંદિર ટ્રસ્ટએ અન્યને વેચી દીધી છે. આ અંગેની વિગત એવી છે કે AMCએ 1992માં બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેક્ટરની અશાંત ધારાની મંજૂરી વિના આ જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી.

એક જાગૃત નાગરિકે કરી ફરિયાદ

જમીન ગૌચર માટે આપી હોવા છતાં તેનો કૉમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની તૈયારી થઈ ગઈ છે. ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું કામકાજ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પાલડીના એક જાગૃત નાગરિક દ્વારા આ આરોપ કરવામાં આવ્યા છે અને ફરિયાદ કરવામાં આવી છે.

AMCએ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી

ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જમીન વેચાણ થઇ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થતાં AMCના અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે. જેથી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે.

અગાઉ મહંત દિલીપદાસજી મહારાજે યાસીન ઘાંચીને ભાડાપટ્ટે આપી હતી જમીન

ફરિયાદીનું કહેવું છે કે જે જમીનનો વિવાદ છે તે સુએજ ફાર્મની જગ્યા છે. જેની માલિકી AMCની હતી પછી વર્ષ 1992માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી. જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો. બાદમાં 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. જેની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.

ગૌચરની જમીન વેચી દેવાની કૃત્યને ગૌ રક્ષકો વખોડી રહ્યા છે

સુત્રોનું માનીએ તો જે વ્યક્તિને જમીન આપવામાં આવી છે તેને એક સમયના મુખ્યમંત્રી સાથે સારા સબંધ છે અને આથી આ કૌભાંડ થયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ જમીન રૂ.7500માં ટ્રસ્ટને ગૌ સેવા માટે આપી હતી. પછી હવે હેતુ સચવાતો નથી તો પછી આ જમીન મ્યુનિ. તંત્રને પરત આપી દેવી જોઇએ. ગૌચરની જમીન વેચી દેવાની કૃત્યને ગૌ રક્ષકો વખોડી રહ્યા છે અને જરૂર પડે અંગે આંદોલન કરવાની વાત કરે છે.

ટ્રસ્ટની નહીં પણ મહારાજની માલિકીની જગ્યા છેઃ ટ્રસ્ટી મોહન ઝા

આ અંગે મંદિરના ટ્રસ્ટી મોહન ઝા કહે છે કે જે જગ્યાની વાત છે તે ટ્રસ્ટની નહીં પણ મહારાજની માલિકીની છે. કોર્પોરેશને જમીન અમારા મહારાજ જે ખેડૂત હતા તેમને આપી હતી. પરંતુ નામ ટ્રસ્ટનું લખાવ્યું છે. જેથી વિવાદ થયો છે. જમીન વેચી નથી પણ ભાડા પેટે આપી છે. ટ્રસ્ટીનું માનીએ તો આ જમીન અશાંતધરામાં આવતી નથી.

ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ

મંદિર ટ્રસ્ટ કાઈ ખોટું નહીં થયા હોવાનું ગાણું ગાય છે પણ તંત્રએ ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે એ હકીકત છે.

આલેખન : દિપક સોલંકી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ