બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Jagannath Ratha Yatra 2023 history why the wood of rath yatra cut with golden axe

રથયાત્રા 2023 / આખરે કેમ સોનાની કુહાડીથી કાપવામાં આવે છે રથયાત્રાના લાકડા, રહસ્ય છે ચોંકાવનારું

Arohi

Last Updated: 06:07 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagannath Ratha Yatra 2023: જગન્નાથ રથ યાત્રાની તૈયારીઓ લગભગ બે મહિના પહેલા શરૂ થઈ જાય છે અને તે સમયે ભગવાન જગન્નાથના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે.

  • 2 મહિના પહેલા શરી થઈ જાય છે રથયાત્રાની તૈયારી 
  • દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી 
  • સોનાની કુહાડીથી કાપવામાં આવે છે રથયાત્રાના લાકડા

ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર એકલું એવું મંદિર છે જ્યાં જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. કહેવાય છે કે પુરી ભગવાન જગન્નાથના માસીનું ઘર છે અને આ ત્રણ બહન-ભાઈ પોતાના માસીના ઘરે ફરવા આવ્યા હતા. તે સમયે તેમની તબિયત ખરાબ થઈ જાય છે અને પછી દવા આપીને તેમને સાજા કરવામાં આવે છે.  

આ પરંપરા આજે પણ જગન્નાથ પુરીમાં નિભાવવામાં આવે છે. આજે પણ જગન્નાથ રથયાત્રાથી 15 દિવસ પહેલા ભગવાન બીમાર થઈને એકાંતવાસમાં જતા રહે છે અને કોઈને દર્શન નથી આપતા. પછી 15 દિવસમાં ઠીક થઈને આવે છે અને પોતાના ભક્તોને દર્શન આપે છે. ત્યારે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. આ રથ યાત્રા સાથે જોડાયેલા ઘણા રહસ્ય અને સ્ટોરી એવી છે જે આજે પણ લોકોને ચોંકાવે છે. 

જગન્નાથ રથ યાત્રા 2023 
આ વર્ષે જગન્નાથ રથ યાત્રા 20 જૂન 2023, મંગળવારે શરૂ થશે અને આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે નગરનું ભ્રમણ કરશે. આ રથ યાત્રાની તૈયારીઓ ઘણા મહિના પહેલાથી શરૂ થઈ જાય છે અને તેનાથી સાથે જોડાયેલા અમુક એવા નિયમ છે જેનું આજે પણ સંપૂર્ણ શ્રદ્ધાની સાથે પાલન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ રથ યાત્રા માટે ઉપયોગ થતા લાકડા સોનાની કુલ્હાડીથી કાપવામાં આવે છે? આવો જાણીએ તેના વિશે ડિટેલ્સમાં. 

સોનાની કુલ્હાડીથી કપાય છે લાકડી 
લોકોને એ વાત સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે કે રથ બનાવવા માટે જે લાકડીઓનો ઉપયોગ થાય છે તેને સોનાની કુલ્હાડીથી કાપવામાં આવે છે. રથ બનાવવામાં બે મહિનાનો સમય લાગે છે અને તેની શરૂઆત અખાત્રીજના દિવસથી થાય છે. તેના માટે સૌથી પહેલા લાકડાની પસંદગી કરવામાં આવે છે અને પછી વન વિભાગના અધિકારીઓને મંદિર સમિતિના લોકો સુચના મોકલે છે કે તેમને રથના માટે લાકડા કાપવા છે. 

ત્યાર બાદ મંદિરના પુજારી જંગલ જઈને તે ઝાડની પૂજા કરે છે જેના લાકડા રથના માટે ઉપયોગ થવાના છે. પછી મહારાણા એટલે કે કારપેન્ટર કમ્યુનિટીના લોકો ઝાડ પર સોનાની કુલ્હાડીથી કટ લગાવે છે. કટ લગાવતા પહેલા સોનાની કુલ્હાડીને પહેલા ભગવાન જગન્નાથની પ્રતિમાને સ્પર્શ કરાવવામાં આવે છે અને તેમનો આશીર્વાદ લેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ