બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / insurance company often rejects the claim? So just do this work, the solution will come in 15 days
Megha
Last Updated: 01:45 PM, 28 January 2023
વીમો કે ઈન્શ્યોરન્સ તમને કોઈ પણ અણધારી અથવા પ્રતિકૂળ ઘટનાને કારણે થતા આર્થિક નુકસાન માટે વીમા કવર પ્રદાન કરે છે. આ અંતર્ગત તમારે નિયમિત સમયગાળા દરમિયાન વીમા કવર માટે અમુક પ્રીમિયમ જમા કરાવવું પડે છે. આ પ્રિમીયમ માસિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. જણાવી દઈએ કે તમારા વીમા કવરની રકમ તમારા દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. જો ભવિષ્યમાં તમારી સાથે કોઈ અકસ્માત થયો તો આવી પરીસ્થિતિમાં તમને વીમા કવરનો લાભ મળી શકે છે.
વીમા પૉલિસી કોઈપણ અપ્રિય ઘટના અથવા નાણાકીય નુકસાનના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વીમા કંપની કોઈને કોઈ મોટું કે નાનું કારણ બતાવીને વ્યક્તિના વીમાના દાવાને નકારી દે છે. એવી પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેઈમ રિજેક્ટ થયા પછી વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. જણાવી દઈએ કે આવી પરિસ્થિતને ધ્યાનમાં રાખીને વીમા નિયમનકાર IRDAIએ ઘણા પ્રકારના નિયમો બનાવ્યા છે. જો કોઈ વીમા કંપની તમારું વીમા કવર નકારે છે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
-વીમા કંપની તમારા દાવાને નકારવા માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે વીમાની નોંધણી કરતી વખતે સ્વાસ્થ્ય વિશે ખોટી માહિતી આપવી, દસ્તાવેજોમાં માહિતીમાં ફેરફાર, નિયમો અને શરતોનું ઉલ્લંઘન વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત વીમા કંપની આ કારણો આપીને તમારો દાવો નકારી શકે છે.
-જો વીમા કંપની તમારા વીમા દાવાને નકારી કાઢે તો આ સ્થિતિમાં પહેલા ફરિયાદ નિવારણ અધિકારી પાસે જવું પડશે અને દાવા સંબંધિત તમારી ફરિયાદ નોંધવી પડે છે.
-આમ કર્યાના લગભગ 15 દિવસ પછી પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો તો આ સ્થિતિમાં તમે આ અંગે વીમા નિયમનકાર IRDAIને ફરિયાદ કરી શકો છો.
-તમે IRDAI ના મેલ આઈડી [email protected] પર આ વિશે ફરિયાદ કરી શકો છો અને એ સિવાય તમે આ નંબરો 155255 અથવા 1800 4254 732 પર કૉલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ