બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Indian Meteorological Department Scientist Statement on Cyclone Biporjoy

નિવેદન / બિપોરજોય વાવાઝોડા પર IMDના વૈજ્ઞાનિકે આપ્યું મોટું અપડેટ, જાણો ક્યાં થશે અસર, ક્યાં પડશે વરસાદ

Dinesh

Last Updated: 07:06 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડા અંગે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક જણાવ્યું કે, જમ્મૂ-કશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

  • ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું નિવેદન
  • 'અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બન્યું છે'
  • 'સમુદ્ર વિસ્તારમાં વધુ અસર જોવા મળશે'


સંભવિત બિપોરજોય વાવાઝોડા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે,ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે,અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બન્યું છે તેમજ જેની સમુદ્ર વિસ્તારમાં વધુ અસર જોવા મળશે

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે શું કહ્યું ?
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું કે, પહાડી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે તેમજ ઉત્તર ભારતમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જમ્મૂ-કશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મેદાની વિસ્તારમાં આકાશ સાફ રહેશે તેમજ રાજસ્થાન છોડીને તમામ જગ્યામાં તાપમાનમાં વૃદ્ધિ થશે. 

વાવાઝોડાને લઇ રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર
ગુજરાતમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર છે. ગાંધીનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે ડિઝાસ્ટર અને હવામાન વિભાગ સહિતના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાત પર આ વાવાઝોડાની કોઈ અસર નહીં થાય. 

વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતું ગુજરાતમાં અસર વર્તાશેઃ અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ