બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / History of the ruined palace just 170 km from the Taj Mahal
Kishor
Last Updated: 07:01 PM, 18 June 2023
ઉત્તર પ્રદેશના આગરામાં આવેલા તાજ મહેલથી તો તમે માહિતગાર હશો જ. માત્ર ભારત જ નહી, પરંતુ દુનિયાભરના લોકો તાજ જોવા ભારત આવે છે. પ્રેમની નિશાની તરીકે ફેમસ તાજ મહેલની સુંદરતા પહેલી નજરે જ ગમી જાય તેવી છે. મુઘલ રજા શાહજહાંએ પત્ની મુમતાજની કબર માટે બનાવેલા આ આલીશાન મહેલથી માત્ર 170 કિમી દૂર બદાયુના શેખુપુરમાં એક ખંઢેર હાલતમાં મહેલ આવેલો છે. આ મહેલનો ખુબ જ રોચક ઇતિહાસ છે, જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તાજ મહેલની જેમ જ આ પણ કબર જ છે. અહીં મુમતાજની બહેનની પણ એક કબર આવેલી છે. એક બહેનની કબર જોવા દુનિયાભરમાંથી લોકો આવે છે, તો બીજી બહેનની કબર ખંઢેર બની ગઈ છે.
જે મોહતસીમ ખાન અને ફરીદ શેખ તરીકે જાણીતો હતો
આ રોચક ઇતિહાસ અંગે વધુ જાણકારી આ કબરથી 5 કિમી દૂર આવેલા શેખુપૂર ગામમાંથી મળશે. આ ગામ લખનઉથી 250 કિમી દૂર છે. અહીં નદીની બાજુમાં મધ્યકાલીન વખતનો એક મકબરો આવેલો છે. જે એક ઊંચા ચબુતરા પર બનેલો છે. ઘુમટ આકારના આ મકબરાની અંદર અનેક કબર આવેલી છે. કહેવાય છે કે આ કબરોમાંથી એક કબર જે વચ્ચોવચ્ચ આવેલી છે તે મુમતાજની બહેન પરવર ખાનમની છે. પરવર ખાનમ શેખ ઈબ્રાહીમની પત્ની હતી, જેને મોહતસીમ ખાન અને ફરીદ શેખ તરીકે જાણીતો હતો. મોહતસિમ ખાન બદાયુના ગવર્નર કુતુબુદિન કોકાનો દીકરો હતો.
કબર ફતેહપુર સિકરીમાં સમ્રાટના કિલ્લાની અંદર બનાવવામાં આવી
ઇતિહાસકારોનું કહેવું છે કે કુતુબુદિન કોકા મુઘલ બાદશાહ જાહાંગીરનો સાવકો ભાઈ હતો. એવુ પણ કહેવામાં આવે છે કે તે સમ્રાટનો સચિવ પણ હતો. અને બાદમાં બંગાળ પ્રાંતનો ગવર્નર પણ બન્યો હતો. આ વાતથી અંદાજ લગાવી શકાય કે શાહી પરિવાર સાથે તેના કેવા ગાઢ સંબંધ રહ્યા હશે. કોકા પણ એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તે એક સૂફી સંત શેખ સલીમ ચિશ્તીનો પૌત્ર હતો. ચિશ્તી એ સંત છે જેની કબર ફતેહપુર સિકરીમાં સમ્રાટના કિલ્લાની અંદર બનાવવામાં આવી હતી.
હસનની દીકરીના લગ્ન કોકાના પુત્ર સાથે થયાં હતા
સલીમ ચિશ્તીની દીકરીએ જહાંગીરને માતાની જેમ ઉછેરી મોટો કર્યો હતો. આથી જ જહાંગીર અને કોકાના ગાઢ સબંધ રહ્યા હશે. એવુ પણ કહેવાય છે કે શેખુપૂર ગામનું નામ પણ જહાંગીરના બાળપણના નામ શેખું પરથી રાખવામાં આવ્યું છે. બદાયુની આ કબરની કહાની કુતુબુદિન કોકાની પુત્રવધુ પરવર ખાનમની છે. પરવર ખાનમ એક શક્તિશાળી મુઘલોના પૈસાદાર વ્યક્તિ અબુલ હસન જેને આસફ ખાનથી ઓળખવામાં આવે છે તેની દીકરી હતી. હસનની દીકરીના લગ્ન કોકાના પુત્ર સાથે થયાં હતા. જે મુઘલ કુલીન વર્ગના બે પ્રભાવશાળી પરિવારો વચ્ચેનો સબંધ દર્શાવે છે. પરવરની એક બહેન અર્જુમંદ બાનો બેગમ હતી, જેના નિકાહ જહાંગીરના દિકરા રાજકુમાર ખુર્રમ સાથે થયા હતા.ઓરમઝેબ પરવર ખાનમનો ભત્રીજો હતો. પરવર ખાનમના નિકાહ એક શક્તિશાળી કુલીન પરિવારમાં થયા હતા. પરંતુ તેની બહેન મુમતાજના લગ્ન હિન્દુસ્તાનના ભાવી સમ્રાટ સાથે થયા, આજ કારણ છે કે પરવરની કબર એક નાના એવા ગામમાં છે, જ્યાં કોઈ મુલાકાત લેવા જતું નથી અને તેની બહેન મુમતાજની કબર એટલે કે તાજ મહેલ જોવા દૂર દૂરથી લોકો આવે છે. તાજ મહેલ આજે વૈશ્વિક ધરોહર પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime