બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ભારત / gyanvapi vishwanath temple trust reaches court to repair basement demands ban on namazis
Hiralal
Last Updated: 02:25 PM, 5 March 2024
શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટે જ્ઞાનવાપી સંકુલમાં દક્ષિણ (વ્યાસજી) ભોંયરાના સમારકામ માટે અને પૂજારીઓની સલામતી માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. સોમવારે ટ્રસ્ટ તરફથી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવું જણાવાયું કે નમાજ પઢનારા આવનાર લોકોના દબાણથી ભોંયરાની છતમાંથી પથ્થરનો ટુકડો તૂટીને મૂર્તિઓની બાજુમાં પડ્યો હતો જેને કારણે ગભરાટ ફેલાયો હતો. અરજીમાં ભોંયરાની છત પર નમાજ પઢનારાની અવરવજર બંધ કરવાનું અને છતનું સમારકામ કરવાનું કહ્યું છે.
Now, Allahabad High Court rejected the Mosque committee's plea and allowed puja (prayers) to continue inside ‘Vyas Tehkhana’ in Gyanvapi.
— Anshul Saxena (@AskAnshul) February 26, 2024
Varanasi administration should make arrangements in such a way that more & more people can attend the prayers in southern cellar of Gyanvapi. pic.twitter.com/hk5J4O4kaJ
કાશી વિશ્વનાથ મંદિરે કોર્ટમાં કરી અરજી
જ્ઞાનવાપી સાથે જોડાયેલા એક કેસમાં પહેલીવાર કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ કોર્ટમાં પહોંચ્યું છે. વકીલોએ ન્યાયિક કાર્યનો બહિષ્કાર કરવાને કારણે સુનાવણી ૧૯ માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી. 31 જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે વ્યાસજીના પરિવારની અરજી પર બેઝમેન્ટનું બેરિકેડિંગ હટાવી દીધું હતું અને પૂજાની મંજૂરી આપી હતી. ત્યારથી અહીં પૂજા-પાઠ ચાલી રહ્યો છે. વ્યાસજીના પરિવારે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને પૂજાના અધિકાર સોંપ્યા છે.
પૂજાની મંજૂરી બાદ જ્ઞાનવાપીમાં વધી નમાજીઓની સંખ્યા
તાજેતરમાં પૂજારીઓએ મંદિર પ્રશાસનને આવેદનપત્ર આપીને માહિતી આપી હતી કે ભોંયરામાં પૂજા સ્થળ પાસે જર્જરિત પથ્થરની દિવાલો અને છતના કારણે છત પરથી સતત પાણી ટપકી રહ્યું છે. છતના પથ્થરના બીમમાં તિરાડ પડી ગઈ છે. 31 જાન્યુઆરીએ કોર્ટે વ્યાસજીના તહખાનામાં હિંદુઓને પૂજાની છૂટ બાદ જ્ઞાનવાપીમાં નમાજીઓની સંખ્યામાં વધારો થયો છે આને કારણે દબાણ આવતાં 15 ફેબ્રુઆરીના રોજ છત હલી ગઈ હતી અને છત પરથી એક પથ્થર તૂટીને વિગ્રહ પ્લેટફોર્મની બાજુમાં જ પડ્યો હતો. આવી સ્થિતિમાં પૂજારીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, છતની અંદરથી પૂજા સ્થળનું સમારકામ કરવું જરૂરી છે. નહીંતર, અપ્રિય ઘટના ગમે ત્યારે બની શકે છે.
હિંદુઓને મળી છે પૂજાની મંજૂરી
31 જાન્યુઆરીના રોજ વારાણસી જિલ્લા કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપીમાં ભોંયરામાં વ્યાસજીના તહખાનામાં પૂજાની મંજૂરી આપી છે. હિદુ પક્ષનો દાવો છે કે અહિં એક જમાનામાં મંદિર હતું જેને તોડીને બાબરી બનાવાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ