બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Vaidehi
Last Updated: 08:04 PM, 15 February 2023
છેલ્લા 3 મહિનામાં ગોવાનાં સમુદ્રી કિનારાઓ પર સ્વિમિંગ કરનારાંઓમાં 850થી વધારે લોકોએ દાવો કર્યો છે કે તેમને જેલિફિશે ડંખ્યું છે. સૂત્રો અનુસાર જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દરરોજ જેલિફિશ આશરે 9 લોકો પર હુમલો કરે છે. આ ઘટના દક્ષિણ ગોવાનાં ઓછી ભીડભાડવાળા સમુદ્ર કિનારો પર બનેલ છે.
ગોવાનાં આ સમુદ્રો પરથી મળી છે માહિતી
બેતાલબાતિમથી 225 ઘટનાઓની સૂચના મળી છે જ્યારે કોલ્વામાં 180 અને બેનાઉલિમ અને જાલોર સમુદ્ર તટોમાં દરરોજ 50 નવા મામલાઓ સામે આવે છે. એક સ્વિમથૉન કાર્યક્રમમાં 125 પ્રતિભાગિયોએ પણ જેલિફિશ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરી ગોવાનાં સૌથી વધારે ભીડવાળા સમુદ્ર કિનારોમાં માત્ર 140 ફરિયાદો સામે આવી છે. આ સિવાય કલંગુટ અને બાગામાં 60-60 કેસો સામે આવ્યાં છે.
લાઈફગાર્ડ આ પ્રકારે બચાવે છે લોકોનો જીવ
લાઈફગાર્ડ જ્યારે આ પ્રકારનાં મામલાનો સામનો કરે છે ત્યારે સૌથી પહેલાં તે વ્યક્તિનાં શરીરમાં ઝેરી પ્રદાર્થોને ફેલાતાં રોકવા માટે શરીરનાં તે ભાગ પર સિરકાનો છંટકાવ કરે છે અને ત્યારબાદ ગરમ પાણીથી પ્રાથમિક ઉપચાર કરે છે. ગોવાનાં સમુદ્રી તટો પર જેલિફિશ અસામાન્ય નથી.
2 પ્રકારની જેલિફિશ હોય છે
15 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2020ની વચ્ચે ગોવામાં જેલિફિશ હુમલાનાં આશરે 385 મામલાઓ નોંધાયા છે જેમાંથી 90 જેટલા કેસો 2 દિવસમાં જ નોંધાયા છે. જેલિફિશ 2 પ્રકારની હોય છે, ઝેરિલી અને ઝેરમુક્ત. મોટાભાગની જેલિફિશનાં ડંખ લોકો માટે હાનિકારક હોતાં નથી. તે માત્ર થોડી જલન પૈદા કરે છે પરંતુ અતિ દુર્લભ મામલામાં જેલિફિશનાં ડંખથી લોકોને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ અને છાત્તીમાં દુ:ખાવો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ