બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Go First Airlines on the verge of sinking! Again all flights will be closed till this date
Priyakant
Last Updated: 08:13 AM, 6 May 2023
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GoFirst એ 12 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ શુક્રવારે રાત્રે આ અંગેની માહિતી આપી છે. નોંધનીય છે કે, GoFirst જે ભારે દેવું ધરાવે છે, તેણે તાજેતરમાં NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે, પરંતુ NCLTએ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કંપની પર હાલમાં રૂ. 6,521 કરોડનું દેવું છે.
GoFirst દ્વારા ટ્વીટ દ્વારા આપવામાં આવી માહિતી
GoFirst દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપવામાં આવી હતી. પેસેન્જરોને સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી કંપની ગો ફર્સ્ટએ કહ્યું કે, ઓપરેશનલ સમસ્યાઓના કારણે કંપનીએ 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. વાડિયા ગ્રુપની કંપનીએ મુસાફરોને ટિકિટ રિફંડ સંબંધિત માહિતી પણ આપી હતી. GoFirstએ કહ્યું કે, અસરગ્રસ્ત મુસાફરોના સંપૂર્ણ પૈસા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. અગાઉ કંપનીએ 2 અને 3 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી, જેને વધારીને 9 મે કરવામાં આવી હતી. હવે આ સમયગાળો 12 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
Due to operational reasons, Go First flights until 12th May 2023 are cancelled. We apologise for the inconvenience caused and request customers to visit https://t.co/qRNQ4oQjYT for more info. For any queries or concerns, please feel free to contact us. pic.twitter.com/wqQIm6ZDqT
— GO FIRST (@GoFirstairways) May 5, 2023
15 મે સુધી ટિકિટ વેચવામાં આવશે નહીં
ગુરુવારે એવિએશન રેગ્યુલેટર DGCAએ માહિતી આપી હતી કે, એરલાઈને 15 મે સુધી તમામ ફ્લાઈટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે DGCAએ કંપનીને નિયમો મુજબ જલદીથી તમામ મુસાફરોના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સોમવાર 8 મેના રોજ કંપનીને નાદાર જાહેર કરવા સંબંધિત નિર્ણય અંગે બે નાદારી અરજીઓની સુનાવણી કરશે. પોતાને નાદાર જાહેર કરીને એરલાઈને તમામ નાણાકીય દેવાની ચુકવણી પર વચગાળાનો સ્ટે માંગ્યો છે. આ મામલાની સુનાવણી બાદ NCLTએ ગુરુવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
GoFirst Air થઈ રહી છે ખરાબ આર્થિક સમયમાંથી પસાર
વર્ષ 2005 માં શરૂ થયેલGoFirst Air એ સસ્તી હવાઈ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેની નાદારી અરજીમાં કંપનીએ જણાવ્યું છે કે, હાલમાં તે રોકડ અને કેરી મોડમાં ચૂકવણી કર્યા પછી જ ફ્લાઇટ્સ ચલાવવા માટે સક્ષમ છે. આવી સ્થિતિમાં કંપનીએ દરરોજ ચૂકવણી કરવી પડે છે. હાલમાં કંપની પર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ