બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / geeta jayanti 2023 never do these mistakes if your had shrimad bhagwat geeta at home know rules

ધર્મ / જો તમારા ઘરમાં પણ હોય શ્રીમદ ભગવદ ગીતા તો ખાસ જાણી લેજો આ નિયમો, પાલન ન કર્યું તો પાપ લાગવાની છે માન્યતા

Manisha Jogi

Last Updated: 01:59 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માગશર માસની શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર ઘરે શ્રીમદ ભગવત ગીતા હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

  • આજે  મોક્ષદા અગિયારસ છે
  • ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે
  • ઘરે  શ્રીમદ ભગવત ગીતા હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી 

આજે મોક્ષદા અગિયારસ છે. મોક્ષદા અગિયારસની સાથે ગીતા જયંતિ ઊજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદ ગીતામાં જણાવવામાં આવ્યો છે.  શ્રીમદ ભગવત ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની ઉત્પત્તિ શ્રીકૃષ્ણના મુખેથી થઈ છે. માગશર માસની શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર ઘરે  શ્રીમદ ભગવત ગીતા હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, નહીંતર જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવી શકે છે. 

ઘરમાં ગીતા રાખવાથી શું થાય છે?
શ્રીમદ ભગવત ગીતા એક પવિત્ર ગ્રંથ છે. માનવામાં આવે છે કે, ઘરમાં આ ગ્રંથ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. નિયમિતરૂપે શ્રીમદ ભગવત ગીતાનું પઠન કરવાથી પરિવારમાં એકતા, સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શ્રીમદ ભગવત ગીતામાં ધર્મ, કર્મ, નીતિ, સફળતા અને સુખનું રહસ્ય છુપાયેલું છે, જેનું પઠન કરવાથી તમામ સમસ્યાનું નિવારણ મળી રહે છે. ગીતાનું પઠન કરવાથી માનસિક પરેશાની, ગૃહ કલેશથી મુક્તિ, વિરોધીઓનો સામનો કરવા માટેની શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તવિકતાનો પરિચય કરાવે છે. ગીતા જયંતિના દિવસે ગીતાના પાઠ કરવાથી અને હવન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

શ્રીમદ ભગવત ગીતા રાખવાના નિયમ

  •  શ્રીમદ ભગવત ગીતા એક પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ રાખવા માટે અને તેના પાઠ કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  શ્રીમદ ભગવત ગીતા સ્વચ્છ અને પવિત્ર સ્થળ પર જ રાખવી જોઈએ. 
  • શ્રીમદ ભગવત ગીતા જમીન પર રાખીને ના વાંચવી જોઈએ. ગીતા રાખવા માટે પૂજા ચૌકી અથવા લાકડીના સ્ટેન્ડનો ઉપયોગ કરવો. ગીતા હંમેશા લાલ કપડામાં બાંધીને રાખવી. 
  • નહાયા વગર, ખરાબ હાથથી ગીતાને સ્પર્શવું ના જોઈએ. નહીંતર વ્યક્તિ પાપનો ભાગી બને છે. માનસિક અને આર્થિક તણાવ થાય છે. 
  • ગીતાનું પઠન કરવા માટે પોતાના જ આસનનો ઉપયોગ કરવો. અન્ય વ્યક્તિના આસનનો ઉપયોગ ના કરવો. ગીતાના પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું. 
  • દિવસમાં કોઈપણ સમયે ગીતાના પાઠ કરી શકો છો, પરંતુ કોઈ અધ્યાય શરૂ કરો તો તેને અધૂરો ના છોડવો જોઈએ, પૂર્ણ કર્યા પછી જ ઊભું થવું જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ