બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / મનોરંજન / બોલિવૂડ / Gashmeer Mahajani broke the silence over his father ravindra mahajanis suspenceful death
Vaidehi
Last Updated: 06:26 PM, 19 July 2023
હિંદી સીરિયલ 'ઈમલી'માં કામ કરનારાં એક્ટર ગશ્મીર મહાજનીનાં પિતા રવીન્દ્ર મહાજનીનું ચાર દિવસ પહેલા રહસ્યમય નિધન થયું. મરાઠી સિનેમામાં પ્રખ્યાત એક્ટર અને ડાયરેક્ટર રવીન્દ્ર મહાજની 77 વર્ષનાં હતાં. એક્ટરનો શવ પુણેનાં તલેગાંવ દાભાડેનાં અંબી વિસ્તારમાં આવેલા તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પરંતુ નવાઈની વાત તો એ છે કે ત્રણ દિવસથી પિતાનો શવ ઘરમાં સડી રહ્યો હતો અને પુત્રને પિતાનાં મૃત્યુની જાણ જ નહોતી. એટલું જ નહીં નિધનની ખબર સામે આવ્યાં બાદ પણ તેમણે પોતાના પિતાને લઈને કોઈ પણ પ્રકારનો સ્ટેટમેન્ટ ન આપ્યો.
ગશ્મીરને લોકોએ ખૂબ ટ્રોલ કર્યો
રવીન્દ્ર મહાજનીનાં નિધન બાદ તેમના દીકરા ગશ્મીરને લોકો સતત ટ્રોલ કરી રહ્યાં છે. યૂઝર્સ કહે છે કે તે કેવો પુત્ર છે જેને પોતાના પિતાનાં મૃત્યુની ખબર જ નથી. વૃદ્ધાવસ્થામાં તેઓ એટલા એકલા હતાં કે ત્રણ દિવસ સુધી તેમનો શવ ફ્લેટમાં પડ્યો રહ્યો હતો.
એક્ટરે તોડ્યું મૌન
લોકો દ્વારા ઉઠાવવામાં આવતાં સવાલો અને ટ્રોલ થયાં બાદ એક્ટર ગશ્મીરે ઈંસ્ટાગ્રામની સ્ટોરી શેર કરતાં હેટર્સને જવાબ આપ્યો હતો. ગશ્મીરે લખ્યું કે એક સ્ટારને સ્ટાર રહેવા દો. મેં અને મારી ટીમે આ વિષય પર મૌન જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. અને જો તેના લીધે મારા અથવા અમારા માટે નફરત ફેલાય છે તો અમે તેનું સ્વાગત કરવા પણ તૈયાર છીએ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. એ મારા પિતા અને મારી માતાનાં પતિ હતાં અને અમે તેમને તમારા બધાંથી વધુ સારી રીતે ઓળખીએ છીએ. જ્યારે સમય યોગ્ય હશે ત્યારે આ વિષય પર હું ભવિષ્યમાં મૌન તોડીશ.
પિતા-પુત્ર બંને ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત
ગશ્મીરે પોતાના પિતાની સાથે અર્જૂન કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'પાનીપત'માં કામ કરેલું છે. તેમને ઈમલી સીરિયલમાં આદિત્ય કુમાર ત્રિપાઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતા રવીન્દ્ર મહાજનીએ મરાઠી ફિલ્મો સિવાય અમિતાભ બચ્ચનની ફિલ્મ સાત હિન્દૂસ્તાનીમાં પણ કામ કરેલું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર