બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / મુંબઈ / Politics / Former Maharashtra Chief Minister Ashok Chavan resigned from Congress

રાજકારણ / મહારાષ્ટ્રમાં પણ ખેલા હોબે? પૂર્વ CM અને દિગ્ગજ નેતાએ કોંગ્રેસને કહ્યાં રામ-રામ, કરશે કેસરિયા

Vishal Khamar

Last Updated: 01:28 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ આજે સવારે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા અને તેમનો રાજીનામું પત્ર તેમને સુપ્રત કર્યું હતું.

  • મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
  • પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
  • હાલમાં અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના 2 થી 4 ધારાસભ્યો

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે . પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. ચવ્હાણ હવે ભાજપમાં જોડાઈ શકે છે.

હાલમાં અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના 2 થી 4 ધારાસભ્યો છે. આ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે. ભાજપ મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલી શકે છે. 

અશોક ચવ્હાણના રાજીનામા પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સિદ્દીકી અજિત પવારના જૂથની NCPમાં જોડાયા છે. દેવરા શિંદે શિવસેનામાં જોડાયા છે.

કોંગ્રેસ કેમ છોડી?
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેથી નારાજ હતા. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે તેણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપની લહેર જોવા મળી રહી છે. 

અશોક ચવ્હાણ પણ નાના પટોલેના વિધાનસભા અધ્યક્ષ પદ છોડવાથી નારાજ હતા, તેમનું માનવું હતું કે પટોલેના કારણે જ મહારાષ્ટ્રમાં સરકાર પડી. સૂત્રોએ જણાવ્યું કે અશોક ચવ્હાણે પાર્ટી હાઈકમાન્ડને નાના પટોલેને અધ્યક્ષ પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા કહ્યું હતું.

વધુ વાંચોઃ કોણ છે એ સાત ચહેરા? જેમને BJP યુપી ક્વોટામાંથી મોકલી રહી છે રાજ્યસભા, એક તો ક્યારેક રાહુલ ગાંધીથી હતા ખાસ નજીક

અશોક ચવ્હાણના રાજીનામાની વચ્ચે નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે
અશોક ચવ્હાણ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે. ચવ્હાણ 2015 થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ 1987માં પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1999 થી 2014 સુધી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા. 2014માં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ