બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 01:15 PM, 20 November 2023
સમગ્ર વિશ્વમાં કેન્સરની બિમારી ફેલાઈ રહી છે. કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં પેટનું કેન્સર ખૂબ જ ગંભીર અને જીવલેણ માનવામાં આવે છે. આ કેન્સરની શરૂઆતમાં ઓળખ કરવામાં આવે તો તેનો ઈલાજ શક્ય છે. પેટના શરૂઆતના કેન્સરના લક્ષણો શું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
પેટમાં કેન્સર કેવી રીતે થાય છે?
પેટની કોશિકાઓના DNAમાં મ્યુટેશન હોય ત્યારે પેટનું કેન્સર થાય છે. મ્યુટેશનનને કારણે કોશિકાઓ ઝડપથી વધવા લાગે છે અને ત્યારપછી ટ્યૂમરનું ગંભીર રૂપ લે છે. કેન્સર કોશિકાઓ સ્વસ્થ કોશિકાઓ કરતા આગળ નીકળી જાય છે અને તેના કારણે પેટની દીવાલની સાથે સાથે તમામ ક્રિયા પર અસર થાય છે.
છાતીમાં બળતરા- છાતીમાં બળતરા થવી તે પેટના કેન્સરનું એક ગંભીર લક્ષણ છે. પેટના કેન્સરને કારણે પાચનક્રિયા ખરાબ થઈ જાય છે, જેના કારણે છાતીમાં બળતરા થવા લાગે છે. ભોજનનું યોગ્ય પ્રકારે પાચન થતું નથી, એસિડિક બાઈલ જ્યૂસ પ્રોડ્યૂસ થશે અને ત્યારપછી Gastroesophageal reflux disease (GERD)ના લક્ષણો ટ્રિગર થશે, જેના કારણે છાતીમાં બળતરા થાય છે.
ઉબકા આવવા- ઉબકા આવવા તે પેટના કેન્સરનું એક ગંભીર લક્ષણ છે. તમે જે કંઈપણ ખાવ તેનું યોગ્ય પ્રકારે પાચન થઈ શકતું નથી, જેના કારણે ઉબકા આવે છે. જેના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, આ કારણોસર શરૂઆતના સ્તરે ડોકટરની સલાહ લેવી જરૂરી છે.
પેટમાં સોજો આવવો- પેટમાં વારંવાર સોજો આવવો અને બ્લોટિંગ થવી તે પેટના કેન્સર સાથે જોડાયેલ છે. કેન્સરના ટિશ્યુઝ પેટની દીવાલો સાથે જોડાયેલ હોય છે, જેના કારણે પેટમાં સોજો આવે છે અને બ્લોટિંગની સમસ્યા થાય છે.
મળમાંથી લોહી પડવું- મળમાંથી લોહી નીકળવું તે પેટના કેન્સરનું ગંભીર લક્ષણ છે. કેન્સર પેટમાં સંપૂર્ણપણે ફેલાઈ જાય તો મળની સાથે સાથે લોહી પડે છે અને કેટલાક કણ પણ નીકળવા લાગે છે. આ પ્રકારના લક્ષણને નજરઅંદાજ ના કરવું જોઈએ અને ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો