બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Dinesh
Last Updated: 07:45 PM, 9 January 2024
કૃપિયાએ રેલવે યાત્રીગણ ધ્યાન આપે કારણ કે, તેમના ઉપયોગી સમાચાર ધ્યાને આવ્યા છે. અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામના કારણે ટ્રેનોને અસર થઈ છે. અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. જ્યારે અન્ય 9 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. 25 જેટલી ટ્રેનોના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની ટ્રેનોને અસર થઈ છે.
આ ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઊભી રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે એન્જિનિયરિંગના કામ કાજ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત-મહુવા (09111) અને બનારસ-વેરાવળ (12946) ટ્રેનોને 11.01.2024ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઈને દોડશે. બંને ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઊભી રહેશે.
ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત-મહુવા (09111) અને બનારસ-વેરાવળ (12946) ટ્રેનોને 11.01.2024 ગુરૂવાર ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બોટાદને બદલે બદલાયેલ રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઈને દોડશે. બંને ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઉભી રહેશે. @WesternRly @drmadiwr pic.twitter.com/eIVoqw3c5w
— DRM Bhavnagar (@DRM_BVP) January 9, 2024
આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીં
10.01.2024 ના રોજ સુરતથી મહુવા જતી ટ્રેન નંબર 09111 સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બાવળા-ધોળકા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી, આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીં, જેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામ, બાવળા, ધોળકા અને ધંધુકા સ્ટેશન પર ઊભી રહેશે નહીં.
વાંચવા જેવું: બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા, નહીંતર શાળા પર લાગી જશે તાળું: નવો આદેશ
આ ટ્રેન સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદ રૂટ પર દોડશે નહીં
તારીખ 10ના રોજ બનારસથી વેરાવળ સુધી દોડતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11 જન્યુઆરી 2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી, આ ટ્રેન સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદ રૂટ પર દોડશે નહીં, જેના કારણે આ ટ્રેન સરખેજ, બાવળા અને ધંધુકા સ્ટેશન પર ઊભી રહેશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir