બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Malay
Last Updated: 01:12 PM, 6 May 2023
સામાજિક જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેતા VTV NEWSના સચોટ અને અસરદાર અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. VTV NEWSએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધૂળ ખાતા વેન્ટિલેટર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. VTV NEWSના અહેવાલ બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે.
અહેવાલ બાદ વેન્ટિલેટરની કરાઈ સાફ સફાઈ
નવી સિવિલમાં ધૂળ ખાતા વેન્ટિલેટર મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વેન્ટિલેટરની સાફ સફાઈ કરાવવામાં આવી છે. જે વેન્ટિલેટરો પર ધૂળના થર જામી ગયા હતા, તે વેન્ટિલેટરોની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં વેન્ટિલેટરની સાફ સફાઈ કરીને તેની ઉપર કવર ઢાંકી દેવામાં આવ્યા છે. મામલો ઉજાગર થયા બાદ તાબડતોબ વેન્ટિલેટર માટે કવર બનાવડાવવામાં આવ્યા છે.
વેન્ટિલેટર પર ઢાંકી દેવામાં આવ્યા કવર
લગભગ 30થી 40 જેટલા વેન્ટિલેટરની ઉપર કવર ઢાંકી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ 50 જેટલા વેન્ટિલેટર પર કવર ઢાંકવામાં આવ્યા નથી. આ કવર બનાવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આજ સાંજ સુધીમાં આ તમામ વેન્ટિલટરને કવર કરી દેવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં જ વીટીવી ન્યૂઝની ટીમ સુરત નવી સિવિલમાં હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી હતી. VTV NEWSની તપાસમાં સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર ધૂળ ખાતા જોવા મળ્યા હતા. નવી સિવિલમાં પ્રથમ માળે PM કેરમાંથી મળેલા 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હતા. VTV NEWSએ ધૂળ ખાતા વેન્ટિલેટરનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.
સિવિલ સત્તાધીશો પાસે માંગવામાં આવ્યો હતો ખુલાસો
VTV NEWSના અહેવાલ બાદ ગાંધીનગરથી સિવિલ સત્તાધીશો પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. તંત્રએ તાત્કાલિક વેન્ટિલેટરની સાફ સફાઈ કરાવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ