બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
Manisha Jogi
Last Updated: 12:50 PM, 16 September 2023
અનેક લોકો એક કપ ગરમ કોફીથી દિવસની શરૂઆત કરે છે. કોફી પીધા પછી એનર્જેટીક અને ફ્રેશ ફીલ થાય છે. કોફીમાં કેફીન હોય છે, જે લોહીમાં ભળી જાય તો બ્રેઈનનો થાક દૂર કરીને બ્રેઈન એક્ટીવ કરી દે છે. સવારે ઉઠતાવેંત કોફીનું સેવન ના કરવું જોઈએ, નહીંતર બ્લડ શુગર લેવલ વધી શકે છે. જેના કારણે અનેક સમસ્યા થઈ શકે છે, જેમાં ડાયાબિટીસ પણ શામેલ છે.
કેફીન કઈ રીતે કામ કરે છે?
ઉઠતા પહેલા આખા દિવસ માટે શરીરને તૈયાર કરવા માટે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થાય છે. કોર્ટિસોલ લેવલ પહેલેથી જ વધી ગયું હોવાની પરિસ્થિતિમાં કોફીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. દૂધ વગરની કોફી પીવાથી પણ આ સમસ્યા થાય છે. નિષ્ણાંતો અનુસાર સવારે ઉઠીએ તેના એક કલાક પછી કોફીનું સેવન કરવું જોઈએ, ત્યાં સુધીમાં કોર્ટિસોલ હોર્મોન લેવલ ઓછું થવા લાગે છે. આ પ્રકારે બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. ભોજન કર્યા પછી ચાલવાથી પણ બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. ચાલવા માટે મસલ્સ વધારાના શુગરનો ઉપયોગ કરે છે. બ્લડ શુગર કંટ્રોલમાં ના રહે તો ધમનીઓ અને તંત્રિકા તંત્રને નુકસાન થઈ શકે છે.
ભારતમાં ડાયાબિટીસના દર્દી
ભારતમાં 10 કરોડ લોકો ડાયાબિટીસ, 13.60 કરોડ પ્રી-ડાયાબિટીસના દર્દીઓ, 31.5 કરોડ હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે કે, તેઓ આ બિમારીથી પીડાઈ રહ્યા છે. યૂ.કેમાં સાત મિલિયન પ્રીડાયાબિટીસના દર્દી છે અને તેમને ટાઈપ 2 ડાયાબિટીસ છે. ટાઈપ 2 ડાયાબિટીસ પહેલા માત્ર પ્રીડાયાબિટીસ થાય તો પણ મૃત્યુ થવાનું જોખમ 60 ટકા વધી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ