બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / રસોડામાં આ વસ્તુઓને ખાલી ન થવા દો, નહીં તો ખરાબ સમય શરૂ થવામાં વધુ સમય નહીં લાગે
Last Updated: 03:32 PM, 7 May 2024
વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ જીવનમાં શુભ પરિણામ મેળવી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવું પણ વર્ણન છે કે રસોડામાં શું ક્યારેય ખાલી ન રાખવું જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
મીઠું ખાલી ન થવા દો
ઘણા લોકોને રસોડાની વસ્તુઓ જેવી કે મસાલા સંપૂર્ણપણે ખલાસ થયા પછી જ ખરીદવાની આદત હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જે પણ વાસણમાં તમે મીઠું રાખો છો, તેને ક્યારેય ખાલી ન થવા દેવું જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મકતા વધી શકે છે. આ સાથે જ તમારે તમારા રસોડામાં ક્યારેય પણ સરસવનું તેલ ખતમ ન થવા દેવું જોઈએ.
હળદરને ખતન ન થવા દો
હળદર એ રસોડામાં આવશ્યક મસાલો છે. તેના વિના વાનગીનો સ્વાદ અધૂરો રહે છે. આ ઉપરાંત શુભ કાર્યોમાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે. વાસ્તુ અનુસાર રસોડામાં હળદરની ખુટવા ન દેવી જોઇએ. હળદર ખતમ થાય તે પહેલા તેને ખરીદવી જોઇએ.
આ પણ વાંચોઃ ઉનાળામાં આગઝરતી ગરમીથી મળશે રાહત, કરો આ જડીબુટ્ટીઓનું સેવન
પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે
ભારતીય સંસ્કૃતિમાં લોટ એ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તેનો ઉપયોગ મોટાભાગની વાનગીઓમાં થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમારા રસોડામાં લોટ ખતમ થઈ જાય છે, તો તેનાથી માન-સન્માનનું નુકસાન થઈ શકે છે. આ સાથે ચોખાને પણ ક્યારેય ખતમ ન થવા દેવા જોઈએ, કારણ કે તે શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યારે તે સમાપ્ત થાય ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.
(નોધ: આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. આ માન્યતાઓ સાચી હોવાનો અમે દાવો કરતા નથી. ઉપયોગ કરતા પહેલા આ વિષયના નિષ્ણાતની સલાહ લો.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT