બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
Last Updated: 09:03 AM, 27 April 2024
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. પોતાની ન્યાયપૂર્ણ દ્રષ્ટિથી તેઓ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. એટલે જો જોવામાં આવે તો શનિદેવ ક્યારેય કોઈને ખરાબ ફળ નથી આપતા, પણ લોકો પોતાના ખરાબ કર્મોને કારણે શનિદેવને મજબૂર બનાવે છે કે શનિદેવ તમારા જીવનમાં પડકારો લાવે. એટલે જો તમે ઈચ્છો છો કે શનિદેવ તમારા પર પ્રસન્ન રહે અને તમને શુભ ફળ આપતા રહે તો કેટલીક આદતો તમારે છોડી દેવી જોઈએ. મનુષ્યોની કેટલીક એવી આદતો છે કે શનિદેવને જરાક પણ પસંદ નથી. સાડાસાતી, ઢૈયા અને મહાદશા દરમિયાન શનિદેવ તમારી પરીક્ષા સૌથી વધુ લે છે. શનિની આ પરીક્ષામાં પાસ થવા માટે ચાલો જાણીએ કે એવી કઈ આદતો છે જે છોડી દેવી જોઈએ.
શનિદેવ જુગાર અને સટ્ટાબાજી દ્વારા પૈસા કમાતા લોકોથી નારાજ રહે છે. આવા લોકો પાસે ભલે અઢળક ધન આવી જાય પરંતુ તેઓ હંમેશા માનસિક શાંતિ માટે ઝંખે છે. આ સાથે જે લોકો વ્યાજ લઈને પોતાનું જીવન જીવે છે તેમનાથી પણ શનિદેવ નારાજ રહે છે, આવા લોકોના જીવનમાં શાંતિનો અભાવ હોય છે.
વડીલોનું અપમાન કરવાથી તમામ દેવી-દેવતાઓ નારાજ થાય છે પરંતુ શનિ આવા લોકોને સખત સજા આપે છે. આવા લોકોને સામાજિક સ્તરે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આ લોકોના જીવનમાં હંમેશા સંતુલનનો અભાવ રહે છે.
શનિને અવ્યવસ્થિત દિનચર્યા તેમજ ઘરમાં અરાજકતા જરાક પણ પસંદ નથી. જે લોકો સમયનું સન્માન નથી કરતા અને સૂવાનો અને જાગવાનો સમય અનિયમિત હોય છે, આવા લોકો પર શનિની દયા આવતી નથી. જે લોકો શનિદેવના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે તેમણે અનુશાસનથી રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો તમે તમારા ઘરના રસોડાને ગંદુ રાખો છો અને તેને સમય-સમય પર સાફ નથી કરતા, તો આ આદતને જલદીથી બદલી નાખો. આ આદત ન માત્ર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરશે પરંતુ તમે શનિદેવના આશીર્વાદથી પણ વંચિત રહી શકો છો.
જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે અને તેને ચૂકવવામાં વિલંબ કરી રહ્યા છો, તો શનિદેવની ક્રૂર દ્રષ્ટિ તમારા પર પડી શકે છે. શનિ ખાસ કરીને એવા લોકોના જીવનમાં પડકારો લાવી શકે છે જેમની પાસે લોન ચૂકવવા માટે પૈસા છે, અને તેમ છતાં તેઓ લોન ચૂકવી રહ્યા નથી. તેથી, જો તમે પણ કોઈની પાસેથી લોન લીધી હોય, તો તેને સમયસર ચૂકવવાનો પ્રયાસ કરો, તો જ શનિદેવ તમારા પર પ્રસન્ન થશે.
જે લોકો પ્રાણીઓ પર અત્યાચાર કરે છે, ત્રાસ આપે છે, તેમના પર શનિદેવની કૃપા ક્યારેય વરસતી નથી. શનિના પ્રકોપને કારણે આવા લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. એટલા માટે તમારે ક્યારેય મૂંગા પ્રાણીઓને ત્રાસ આપવો જોઈએ નહીં.
જે લોકો વધુ પડતા વાસનાપૂર્ણ વિચારોથી ઘેરાયેલા હોય છે તેમને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. આવા લોકોના જીવનમાં શનિ વારંવાર મુશ્કેલ પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ