બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Vishal Khamar
Last Updated: 03:47 PM, 10 October 2023
.અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. ત્યારે 8 દિવસમાં ડેન્ગ્યુનાં 110 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ડેન્ગ્યુનાં કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યું થયું છે. ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી 2 દર્દીઓનાં મૃત્યું થયા છે. ત્યારે 10 દિવસની ડેન્ગ્યુની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે.
ડેન્ગ્યુનાં કારણે એલજી હોસ્પિટલમાં 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું
આ બાબતે એએમસીનાં આરોગ્ય અધિકારી ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસ બાબતે સાદા મેલેરિયાનાં 12 કેસ, ડેન્ગ્યુનાં 110 કેસ અને ચિકનગુનિયાનાં 5 કેસ નોધાવા પામ્યા છે. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય કેસ અટકાવવા માટે ઈન્ટરડોમીસ્ટીક એક્ટિવીટી અને ફોગિંગની એક્ટીવીટી મુખ્ય કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે આગળનાં બે-ત્રણ મહિનાની સરખામણી કરીએ તો જુલાઈ માસ દરમ્યાન ડેન્ગ્યુનાં 201 કેસ રિપોર્ટ થયેલા હતા. ઓગસ્ટ માસ દરમ્યાન કુલ 805 કેસ, સપ્ટેમ્બર માસ દરમ્યાન કુલ 708 કેસ અને ઓક્ટોમ્બર માસ દરમ્યાન કુલ 110 કેસ અત્યાર સુધી નોંધાયેલ છે. હાલ કોર્પોરેશનમાં આવેલ એલજી હોસ્પિટલમાં 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો