બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / Politics / delhi chief minister arvind kejriwal press conference says bjp party misleading people
MayurN
Last Updated: 04:38 PM, 1 November 2022
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. દરેક સારા કાર્યોને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. હવે તેમનું આગામી લક્ષ્ય મોહલ્લા ક્લિનિક છે. કેજરીવાલે કહ્યું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
ભાજપ દિલ્હીવાસીઓનું હિત ઈચ્છતા નથી
ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે આ લોકોએ ષડયંત્રના ભાગરૂપે યોગશાળાને બંધ કરી દીધી. યોગશાળાની શિક્ષક ફી ભરવા માટે ભીખ મંગાવી પડશે તો પણ હું યોગશાળા બંધ થવા દઈશ નહીં. કેજરીવાલે વધુમાં કહ્યું કે રાજધાનીની તમામ સરકારી હોસ્પિટલોનું સમારકામ કરવામાં આવ્યું છે. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા ઉત્તમ છે. ભાજપના લોકો એક ષડયંત્ર હેઠળ દિલ્હી સરકારના કામો બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા તેમને જવાબ આપશે.
बीजेपी की गुजरात में हालत इतनी ख़राब हो गयी है कि उसे देश के सबसे बड़े ठग की मदद लेनी पड़ रही है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 1, 2022
मीडिया सतर्क रहे - ये सारा नाटक मोरबी से मीडिया का ध्यान हटाने के लिए किया जा रहा है। https://t.co/ww5pbTmgkD
10 કરોડની સ્ટોરી બનાવી છે
કેજરીવાલે AAP નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપવાના સુકેશ ચંદ્રશેખરના દાવાને ખોટો ગણાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મોરબી અકસ્માત પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે સુકેશ ચંદ્રશેખરની સ્ટોરી બનાવી છે. બીજેપી સુકેશ ચંદ્રશેખરના ખભામાંથી બંદૂક ફોડવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબની ચૂંટણી પહેલા આ લોકો કુમાર વિશ્વાસને લઈને આવ્યા હતા.
કેજરીવાલ ના આરોપ પર BJP નો વાર
કેજરીવાલના આરોપો પર ભાજપનો વળતો પ્રહાર આમ આદમી પાર્ટી ઠગ પાસેથી દર મહિને 2 કરોડની પ્રોટેક્શન મની લેતી હતી. સાથે જ સંબિત પાત્રાએ કહ્યું કે સુકેશે ઘણા લોકોને છેતર્યા છે, દિલ્હી સરકારના મંત્રી સતેન્દ્ર જૈન સુકેશ ચંદ્રશેખરના મિત્ર છે. ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચારના મામલામાં ટીમ કેજરીવાલ ટોચ પર છે. આમ આદમી પાર્ટી ઠગ પાર્ટી બની ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ