બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Dinesh
Last Updated: 06:40 PM, 30 July 2023
ગીર સોમનાથ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. અવિતર વરસેલા વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. જેને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને હવે ખેડૂતો લીલો દુકાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં છે.
પાકમાં ભારે નુકસાન
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા બાદ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ વરસાદ ખાબક્યો હતો જે પાક માટે અમૃત સમાન હતો. ખેતરમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું હતું. 18 જુલાઈએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી 24 કલાકમાં 15થી 24 ઈંચ જેટલો ખાબક્યો ત્યારે તે મેઘકહેર સમાન બની ગયો હતો. હાલમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ખેડૂતનો કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સતત એક મહિનાથી વરસી રહેલા અનારાધાર વરસાદે હજારો ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરી દીધા છે. માંગરોળના ઢેલાણા, રૂદલપુર, માનખેત્રા ગોરજ સહિતના ગામડાઓમાં હજારો એકર મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. સતત વરસાદના પગલે સુર્યના તાપનો અભાવ અને ખેતરોમાં પાણી ભરાવાથી તેલીબિયાં, અનાજ સહિત કઠોળના પાક પીળા પડી ગયા છે. ખેડૂતોએ મોઘા બિયારણ, દવાઓ અને ખાતર માટે ધિરાણ લઇ વાવેલો પાક નિષ્ફળ જતાં માંગરોળના હજારો ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. તો અનેક ખેડૂતોની ફળદ્રુપ જમીનો જ ધસમસતા પ્રવાહમાં ધોવાઇ ગઇ છે. તેવામાં ખેડૂતો સરકાર પાસે પાક ધિરાણનું પેકેજ માફ કરવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોએ સમગ્ર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે. ખેડૂતોએ જણાવ્યું કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે.
ખેડામાં 200 હેક્ટરમાં બાજરીનો પાક નિષ્ફળ
ખેડામાં સતત વરસી રહેલો વરસાદે ખેડૂતો માટે હવે આફત બની રહ્યો છે. ખેડા જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી પડી રહેલા વરસાદ બાદ સેંકડો હેક્ટરમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદ બાદ ખાસ કરીને બાજરીનો પાક ધોવાઇ ગયો છે. ખેડાના 200 હેક્ટરમાં બાજરીનો પાક ધોવાઇ જતાં ખેડૂતોનો બિયારણ, જંતુનાશક સહિત ખાતરનો ખર્ચો પાણીમાં ગયો છે. ખેડાના અનેક ખેડૂતોના પાકમાં પાણીના ભરાવા અને જમીન ધોવાણને કારણે બાજરીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને એકરદીઠ 2500 રૂપિયાનું થયું છે. તેવામાં ખેડૂતોએ સરકાર દ્વારા સરવે કરી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ