બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / Politics / Covid-19 For the first time seen such a crowd of sick and dead, Rahul Gandhi attacked the government
Parth
Last Updated: 06:48 PM, 18 April 2021
દેશમાં કોરોના વાયરસ મહામારી ખૂબ જ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે અને કોરોના વાયરસના દૈનિક કેસ ત્રણ લાખની નજીક પહોંચી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલી મુદ્દે કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ
પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેં આજે આટલી બધી ભીડ પહેલી વાર જોઈ છે. તેના પર રવિવારે રાહુલ ગાંધીએ તેના પર કટાક્ષ કરતાં કહ્યું કે બિમારો અને મૃતકોની આવી ભીડ પણ પહેલીવાર જોઈ છે.
શું કહ્યું હતું પીએમ મોદીએ
આસનસોલમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું લોકસભા ચૂંટણીમાં બંગાળમાં આવ્યો હતો ત્યારે પા ભાગની ભીડ પણ નહોતી આવી. આજે તો દૂર સુધી માત્ર લોકો જ દેખાઈ રહ્યા છે, શું કમાલ કરી દીધો તમે લોકોએ!
રાહુલ ગાંધીનો મોટો નિર્ણય
દેશભરમાં સોશ્યલ મીડિયામાં લોકો આ રેલીઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની આગામી બધી જ રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં, હું બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરું છું. બધી જ રાજકીય પાર્ટીઓના નેતાઑને પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં અપીલ કરું છું કે મોટી જાહેરસભાઑ ન કરે.
કોરોના વાયરસ કેસ અપડેટ (18 એપ્રિલ, 2021)
ભારતમાં આજે કોરોના વાયરસના નવા 2,61,500 કેસ સામે આવ્યા છે જ્યારે 1,501 લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ એક દિવસમાં 1,38,423 લોકો સાજા પણ થયા છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા