બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 09:01 PM, 21 April 2023
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોનાએ રીતસરનો કોહરમ મચાવ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. આ મામલે શુક્રવારે કેન્દ્ર સરકારે આ આઠ રાજ્યોને પત્ર પાઠવી હંગામો મચાવતા કોરોનાને અટકાવવા સતર્ક રહેવા સૂચના આપી છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વર્તમાન પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. જેને લઈને સરકાર પણ એલર્ટ મોડમાં કામ કરી રહી છે.કોરોના વાયરસના કેસને લઈને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરાયું છે. હાલમાં મોતએ ચિંતાનો વિષય છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 28 લોકો કોરોના ખપ્પરમાં હોમાયા છે.
ગાઈડલાઈનનું પાલન કરવું પણ આવશ્યક
કોરોના કહેરને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સબંધિત રાજ્યોને પત્ર પાઠવ્યો છે.જેમાં ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના હજુ અટક્યો નથી. ઉલટાની ગંભીર સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે કોવિડ-19ની હાલની સ્થિતિ પર નજર રાખવી જરૂરી બની છે. વધુમાં જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનો આંકડો હાલ રાહતરૂપ છે. પરંતુ અમુક રાજ્યો અને તેમના જિલ્લાઓમાં કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. જે ચિંતાજનક સ્થિતિ છે. વધુમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પણ આવશ્યક હોવાનું જણાવ્યું હતું.
કોરોનાથી 28 મોત નોંધાયા
આ રાજ્યોના જિલ્લાઓમાં પોઝિટિવિટી દર જાણીએ તો, યુપીમાં એક, રાજસ્થાન 6 તમિલનાડુ 11, મહારાષ્ટ્ર 8, કેરળ 14, હરિયાણા 12 અને દિલ્હીમાં સકારાત્મકતા દર 10 ટકાથી વધુ છે. જે ચિંતા જન્માવી શકે છે. વધુમાં હવામાનમાં ફેરફારને કારણે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા ફેલાઈ રહ્યો હોવાથી ઈન્ફલ્યુએન્ઝા જેવી ગંભીર બીમારી પર પણ નજર રાખવાની જરૂર બની છે. શુક્રવારે (તા.21, 4)ના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,692 નવા કેસ સામે આવ્યા છે. એક્ટીવ કેસોની સંખ્યા 66,170 પર પહોંચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે કોરોનાના કેસ કરતા મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 28 મોત નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ