બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / રાજકોટ / Controversy arose when the construction of Balaji temple premises in Patangan of Karan Singhji School started
Malay
Last Updated: 01:56 PM, 24 April 2023
રાજકોટમાં બાલાજી મંદિરને લઇને વિવાદ સર્જાયો છે. આજે કરણસિંહજી શાળાના પટાંગણમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન રાજકોટના બાલાજી મંદિરનું નિર્માણ કરનારા કોન્ટ્રાક્ટર અને વિરોધ કરનારા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જેની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે દોડી આવી હતી અને પોલીસે કોન્ટ્રાક્ટરને રિક્ષામાં મોકલ્યા હતા.
ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યું છે મંદિરઃ વકીલ
આજે બાલાજી મંદિરમાં ભારે બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલે વકીલે જણાવ્યું હતું કે, કરણસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તો મંદિર બનાવવા માટે ગ્રાઉન્ડમાં આવેલો ચબૂતરો પણ તોડી નાખવામાં આવ્યો છે. સાથે જ અન્નક્ષેત્ર પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.
મને વિવાદ વિશે ખબર નથીઃ રાધારમણ સ્વામી
આ મામલે રાધારમણ સ્વામીએ જણાવ્યું કે, 'બાલાજી મંદિર કોઈ એક વ્યક્તિનું નથી. બાલાજી મંદિર લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ નીચેની સંસ્થા છે. તેમના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી છે. તમે તેમને મળો તો જ સમગ્ર વિવાદ શું છે તે સામે આવશે. મેં એમનો કોન્ટેક્ટ કર્યો પરંતુ તેમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી. ભૂપેન્દ્ર મંદિર અને તે મંદિરનો વહિવટ અલગ છે.'
શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેરના કરણસિંહજી રોડ ખાતે આવેલી કરણસિંહજી શાળાનું પટાંગણ સ્વામિનારાયણ સંપ્રદાયને સોંપાયું છે. કરણસિંહજી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા પટાંગણમાં નાનુ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અહીં મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જોકે, મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.
બાંધકામ શરૂ કરાતા વિવાદ
શાળાના ગ્રાઉન્ડમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચોરસ મીટરની હતી. પરંતુ સ્કૂલની જગ્યામાં 13 હજાર ચોરસ મીટરનું બાંધકામ કરાતા વિવાદ થયો છે. નાનું મંદિર બનાવવાની મંજૂરી આપ્યા બાદ મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ વધ્યો છે. આસપાસના સ્થાનિકો મંદિરના નિર્માણકાર્યનો વિરોધ કરી રહ્યા છે. વકીલે બાંધકામ પર સ્ટે મેળવ્યો છે. પૂર્વ મંજૂરી વગર બાંધકામ ન કરવું તેવી શરતો હોવા છતાં બાંધકામ શરૂ કરાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ