બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / Consuming radish leaves also cures the problem of anemia

આરોગ્ય / મસા, ભગંદળ હોય કે એનીમિયા.. સલાડમાં આ વસ્તુ સૌથી બેસ્ટ, જાણો 5 મૂળિયાં કાઢી નાખે તેવા ફાયદા

Kishor

Last Updated: 11:16 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુળાના પાનનું સેવન કરવાથી હીમોગ્લોબિન લેવલ વધે છે અને એનિમિયાની સમસ્યા પણ ઠીક થઈ જાય છે.

  • મુળાના પાનનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
  • મુળાના પાનમાં આયરન અને વિટામિન્સની ભરપુર માત્રા
  • જાણો મુળાના પાન ખાવાના ફાયદા

શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને અત્યારે માર્કેટમાં મુળાનું વેચાણ પણ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. કારણ કે લોકો શિયાળામાં  સલાડ, પરાઠા કે ચટણીના રૂપમાં મુળાનું સેવન કરે છે. મુળામાં પ્રોટીન કેલ્શિયમ અને એક્સકાર્બિક એસિડ હોય છે.  આ સાથે જ મુળામાં આયરન, વિટામીન કે, વિટામીન સી, ફોલિક એસિડ અને ફોસ્ફોરસ જેવા ખનિજ ભરભૂર માત્રામાં હોય છે. જો શિયાળામાં મુળાનું સેવન કરવામાં આવે તો શરીર સ્વસ્થ રહે છે. પણ ઘણા ઘરોમાં મુળાના પાનને બેકાર ગણીને તેને ફેંકી દેવામાં આવે છે. જો તમે પણ આવી ભુલ કરો છો તો તેનાથી બચવું જોઈએ મુળાના પાન માત્ર ટેસ્ટી જ નહીં પણ તે પાઈલ્સ, કબજિયાત અને એનિમિયા જેવી બિમારીથી પણ આપણને બચાવે છે. ત્યારે આવો જાણીએ મુળાના પાન ખાવાના ફાયદા શું છે?

શિયાળામાં રોજ મૂળા ખાવાના આ 10 જબરદસ્ત ફાયદા એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા  વિના ખાશો | Amazing Benefits Of Eating White Radish For Health

ઈમ્યુનિટી બુસ્ટ
મુળાના પાનનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. મુળાના પાનમાં આયરન અને વિટામિન્સ શરીરની ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. મુળાના પાનનું સેવન કરવાથી હીમોગ્લોબિન લેવલ વધે છે અને એનિમિયાની સમસ્યા પણ ઠીક થઈ જાય છે.

પાચન રાખે મસ્ત
પેટની સમસ્યાઓને દુર કરવા માટે આપણે મુળાના પાનનું સેવન કરવું જોઈએ. મુળાના પાનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ફંક્શનને સારૂ બનાવીને કબજિયાત અને અપચા જેવી સમસ્યામાંથી પણ રાહત મળે છે.

યુરિક એસિડની સમસ્યા
એન્ટીઓક્સીડેંટ્સ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર મુળાના લીલા પાનનું સેવન કરવાથી યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મળી શકે છે. મુળાના પાનનું સેવન કરવાથી લોહી સાફ રહે છે અને યુરિક એસિડની સમસ્યા ઓછી થઈ જાય છે.

પાઈલ્સની સમસ્યાથી મળશે છુટકારો
ફાઈબરથી ભરપૂર મુળાના પાનનું સેવન કરવાથી પાઈલ્સની સમસ્યાથી છુટકારો મળે છે. મુળાના પાનનું સેવન કરવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. એક રિસર્ચ અનુસાર મુળાના પાન સોજો અને ઈંફ્લેમેશન જેવી સમસ્યા ઓછી કરી શકે છે. પાઈલ્સના ઘરેલુ ઉપચારમાં પણ તમે મુળા પાનનું ચુરણ કરીને તેનુ સેવન કરી શકો છો. આ સિવાય તે ભાગમાં મુળાના પાનની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો..

ડાયાબિટીસ
ડાયાબિટીસથી પરેશાન લોકોએ દરરોજ તેના ખોરાકમાં મુળાના પાનને સામેલ કરવા જોઈએ. મુળાના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યામાંથી થોડી રાહત મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ