બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Change the standard of support from Mawtha Behal government! The survey was announced, the work on the ground will be accelerated?
Last Updated: 09:47 PM, 27 November 2023
ADVERTISEMENT
માવઠાના મારની વચ્ચે ખેડૂતો માટે થોડી રાહત આપતા સમાચાર એ છે કે હવે માવઠાની સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે અને એકંદરે વાતાવરણ ચોખ્ખું થતું જશે. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હતું એ થઈ ચુક્યું છે. પરિવર્તન સંસારનો નિયમ છે એ વાક્ય આપણે અનેકવાર ઉપયોગમાં લઈએ છીએ અને હવે કદાચ ખેડૂતો પણ એ રસ્તે ચાલ્યા છે. માવઠાએ જે નુકસાની વેરી ત્યાર પછી એવો સૂર ઉઠ્યો છે કે રાજ્ય સરકારના માવઠાથી નુકસાનીના જે ધારાધોરણ છે તેમા પણ ફેરફાર થવા જોઈએ.
ADVERTISEMENT
ખેડૂતોનો કેન્દ્રવર્તી વિચાર એવો છે કે નુકસાનીના માપદંડમાં ખેડૂત મુખ્ય રહેવો જોઈએ નહીં કે સમગ્ર તાલુકો કે અસરગ્રસ્ત વિસ્તાર. આ પાછળના વિવિધ તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે જેમા માવઠાએ બદલેલી પેટર્ન સૌથી મોટું કારણ છે. સરકારે સહાય માટે ઈન્કાર નથી કર્યો પરંતુ SDRFના ધારાધોરણ બદલાશે કે નહીં તે વિશે હજુ મગનું નામ મરી પાડવું વહેલું છે. વરસાદ અને માવઠું બંને પોતાની પેટર્ન બદલે તો પછી સહાયના માપદંડમાં વ્યાજબી ફેરફાર થવો જોઈએ કે નહીં. અત્યાર સુધી સુધારેલા ધોરણમાં 33 ટકા નુકસાની ધ્યાને લેવાતી હતી તો પછી ખેડૂત સંગઠનો હવે માત્ર 33 ટકા નુકસાનીને ધ્યાને ન લેવાય એવું કેમ કહી રહ્યા છે. સહાયના ધોરણ બદલવાનો હવે સરકાર માટે સમય નજીક આવ્યો છે કે કેમ આવા પાસાઓનો અભ્યાસ કરીશું.
ADVERTISEMENT
રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે. કૃષિ અને બાગાયતી પાક ઉપર પાણી ફરી વળ્યું હતું. રવીપાક માટે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. વાવેતરનો સમય આવ્યો ત્યારે જ પાક નિષ્ફળ ગયો હતો. પાકનું ઉત્પાદન પણ ઓછું અને બીજી તરફ માવઠાનો માર સહન કરવો પડ્યો છે.
સહાયના માપદંડ અંગે ખેડૂત સંગઠન શું કહે છે?
આ વર્ષે માવઠાની પેટર્ન બદલાઈ છે. ચોમાસામાં જે નુકસાન થાય છે તે સાર્વત્રિક છે. આ વખતે માવઠામાં થતું નુકસાન સામાન્ય નથી. નુકસાનીની સહાયમાંથી સિમાંત ખેડૂત બાકાત ન રહે. તેમજ માવઠાની પેટર્ન એવી છે કે જેનાથી નુકસાન પણ છે અને ફાયદો પણ છે. માવઠામાં ઓલાવૃષ્ટિ વધી છે. એક ખેતરમાં વધુ નુકસાન હશે તો બીજા ખેતરમાં ઓછું નુકસાન હશે. અત્યારે નુકસાનીના 33%ના માપદંડ પ્રમાણે તાલુકા સ્તરે નુકસાન ન પણ હોય છે. કોઈ એક ખેડૂતને 33%થી વધુ નુકસાન પણ હશે. સહાયના માપદંડમાં એકમ તરીકે ખેડૂત હોવો જોઈએ.
ADVERTISEMENT
સરકાર શું કહે છે?
ઉભા પાકમાં વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના 50 થી 60% વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કપાસ, તુવેર, એરંડામાં વધુ નુકસાનની ભીતિ. વરસાદ બંધ થશે પછી સરવેની કામગીરી ચાલશે. સરવેના આધારે સહાયની પ્રક્રિયા હાથ ધરાશે.
ADVERTISEMENT
માવઠામાં સહાયના ધોરણ શું છે?
ADVERTISEMENT
15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં વરસાદ પડ્યો હોવો જોઈએ. સળંગ બે દિવસમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવો જરૂરી છે. અસરગ્રસ્ત વિસ્તારની યાદી 7 દિવસમાં રાજ્ય સરકારને મોકલવી. સરકારે 15 દિવસમાં સરવે પૂર્ણ કરવો. ઉભા પાકના 33% કે તેથી વધુ નુકસાન હોય તો જ સહાય મળે. ખેડૂત દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય છે. 4 હેક્ટરની મર્યાદામાં 33%થી વધુ નુકસાન માટે હેક્ટરે 20 હજારની સહાય. તો 4 હેક્ટરની મર્યાદામાં 60%થી વધુ નુકસાન માટે હેક્ટરે 25 હજારની સહાય.
મુખ્યત્વે ક્યા પાકને નુકસાન?
| ઘઉં |
| જીરુ |
| કપાસ |
| એરંડા |
| તુવેર |
| શેરડી |
| રાયડો |
| ડાંગર |
| બટાટા |
| ટામેટા |
| ગુવાર |
| સરગવા |
| ચણા |
| ધાણા |
| ડુંગળી |
| સોયાબીન |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.