બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / central government launched new scheme under the Nirbhaya Fund for minor rape victims who have been abandoned by their families after getting pregnant

મોટી જાહેરાત / રેપથી ગર્ભવતી બનેલી સગીરાઓને મોટી રાહત, કેન્દ્ર સરકારે શરુ કરી ખાસ યોજના, મળશે આવા લાભ

Pravin Joshi

Last Updated: 04:04 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સગીર બળાત્કાર પીડિતાઓને ખોરાક, આશ્રય અને કાનૂની સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના શરૂ કરી છે જેઓ ગર્ભવતી બન્યા પછી તેમના પરિવારો દ્વારા ત્યજી દેવામાં આવી છે.

  • કેન્દ્ર સરકારે સગીર બળાત્કાર પીડિતાઓને લઈને કરી મોટી જાહેરાત
  • સગીર ગર્ભવતી બળાત્કાર પીડિતોને મદદ કરવા માટે નવી યોજના
  • આશ્રય અને કાનૂની સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના શરૂ કરી 

સોમવારે કેન્દ્ર સરકારે સગીર બળાત્કાર પીડિતાઓ માટે નિર્ભયા ફંડ હેઠળ એક નવી યોજના શરૂ કરી, જેઓ ગર્ભવતી થયા પછી તેમના પરિવારો દ્વારા ત્યજી દેવામાં આવી છે. સરકાર આ યોજના હેઠળ આવી સગીર છોકરીઓને સંસ્થાકીય અને નાણાકીય સહાય પૂરી પાડશે. સરકારે 2021 માં મિશન વાત્સલ્ય શરૂ કર્યું, જે બાળકોની સુરક્ષા અને સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિર્ભયા ફંડ હેઠળ સહાય પૂરી પાડવા માટેની નવી યોજના માટે માર્ગદર્શિકા એક અઠવાડિયામાં જારી કરવામાં આવશે.

17 વર્ષની સગીરાને 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર , કુલ 17 આરોપીઓએ આચર્યું  સામૂહિક દુષ્કર્મ | In Kazakhstan, 17 accused, including 17-year-old Sagira,  committed gang rape

પીડિતોને તબીબી અને કાનૂની મદદ

આ યોજના હેઠળ સગર્ભા સગીર બળાત્કાર પીડિતાને 18 વર્ષની ઉંમર સુધી ખોરાક, બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય તેમજ કાયદાકીય અને જરૂરી તબીબી સહાય જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મીડિયાને જણાવ્યું હતું કે નિર્ભયા ફંડ હેઠળ લાવવામાં આવી રહેલી આ યોજનાને અમલમાં મૂકવા માટે જ રાજ્ય સરકારના સહયોગથી મિશન વાત્સલ્યનું માળખું આગળ વધારવામાં આવ્યું છે. વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે નવી યોજના હેઠળ વધારાની સહાય 18 વર્ષ સુધીની છોકરીઓ માટે બાળ સંભાળ સંસ્થાઓના સ્તરે અને 23 વર્ષ સુધીની યુવતીઓ માટે ડે કેર કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ જણાવ્યું કે પીડિતને કોર્ટની સુનાવણીમાં હાજર રહેવા માટે કાયદાકીય સહાયની સાથે સુરક્ષિત પરિવહન પણ આપવામાં આવશે. ઈરાનીનું કહેવું છે કે દેશમાં 415 POCSO ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને કેન્દ્ર સરકારે સગીર પીડિતો માટે ન્યાય મેળવવાનું સરળ બનાવ્યું છે.

દાખલારુપ કેસ : રેપના આરોપીને છોડી મૂકીને કોર્ટે મહિલાને કરી સજા, કારણ  જાણીને ચોંકી જશો I rajasthan court sentenced rape victim for change her  statement and fake case udaipur

2021માં પોક્સો હેઠળ 51,863 કેસ નોંધાયા હતા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર વર્ષ 2021માં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટના 51,863 કેસ નોંધાયા હતા. જેમાંથી 64 ટકા કેસ પેનિટ્રેટિવ અને ગંભીર પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ એસોલ્ટના છે. આવા બળાત્કારનો ભોગ બનેલી સગીર પીડિતોને પણ નવી યોજનામાં સામેલ કરવામાં આવી છે. 

halol rape victim case girl is dead, during the treatment

યોજનાનો લાભ લેનાર પીડિત માટે એફઆઈઆરની નકલની જરૂર નથી

આ યોજનાનો લાભ લેનાર પીડિત માટે એફઆઈઆરની નકલની જરૂર નથી. એક સરકારી અધિકારીએ મીડિયાને જણાવ્યું કે યોજનાના અમલ માટે જવાબદાર વ્યક્તિઓએ પોલીસને જાણ કરવામાં આવે અને એફઆઈઆર નોંધવામાં આવે તે સુનિશ્ચિત કરવું પડશે. આ પીડિતો માટે બાળ સંભાળ ગૃહમાં અલગથી રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત બળાત્કાર પીડિતોની સંભાળ લેવા માટે કેસ વર્કરની નિમણૂક કરવામાં આવશે અને યોજનાના લાભાર્થીઓને આશ્રય આપનાર બાળ સંભાળ ગૃહને કેન્દ્ર દ્વારા અલગથી ભંડોળ આપવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ