બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Celestial lightning 'eyes', repeatedly falls on the same person, does not leave even after death, mystery deepens
Last Updated: 10:25 PM, 16 July 2023
ADVERTISEMENT
જ્યારે પણ આપણી સાથે કંઈક અઘટીત ઘટનાં બને છે. ત્યારે આપણે તેને આપણું દુર્ભાગ્ય માનીએ છીએ અને આપણા નસીબથી નારાજ થઈએ છીએ. જ્યારે બીજી બીજી બાજુ આપણી સાથે કંઈક સારું થાય છે. ત્યારે આપણે આપણી જાતને નસીબદાર કહેવાનું શરૂ કરીએ છીએ. એટલે કે જીવન સંપૂર્ણ રીતે સંતુલિત રહે છે. પરંતુ શું તમે ક્યારેય એવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે. જેના જીવનમાં કંઈ સારું થયું નથી! ભલે તમને આ વાત સાંભળવામાં અજીબ લાગતી હોય. પરંતુ આ બિલકુલ સાચી છે. આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ તેનું નામ ઈતિહાસમાં આવે છે ત્યારે તેને સૌથી ખરાબ નસીબવાળા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. જો તમે તેની જીવનની હકીકત સાંભળશો તો, ભવિષ્યમાં તમે તમારી જાતને ખરાબ નસીબવાળા કહેવાનું બંધ કરશો.
સમરફોર્ડ બ્રિટિશ આર્મીમાં ઓફિસર હતા
અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનના વોલ્ટર સમરફોર્ડ નામના વ્યક્તિ હતો. સમરફોર્ડ બ્રિટિશ આર્મીમાં ઓફિસર હતા. આ વ્યક્તિ સાથે એક જેવી ત્રણ ઘટનાઓ બની હતી. જેના કારણે તેને ખરાબ નસીબવાળો માનવામાં આવે છે. અને એટલું જ નહીં, તેના મૃત્યુ પછી પણ તેની સાથે એવી જ ઘટના બની હતી.
ઘોડેસવારી દરમ્યાન પહેલી વખત પડી હતી વીજળી
વર્ષ 1918 માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમને બેલ્જિયમ તૈનાત કરવામાં આવ્યા હતા. એ જમાનામાં ઘોડેસવારીનો ખૂબ શોખ હતો. એક દિવસ તે ઘોડેસવારી કરવા ગયો ત્યારે તેના પર વીજળી પડી. આ ઘટના બાદ તેની કમરનો નીચેનાં ભાગે લકવાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ અહીં તેમનાં નસીબે તેને સાથ આપ્યો અને તે થોડા મહિનામાં સ્વસ્થ થઈ ગયો.
મૃત્યુ પછી પણ સબંધ રહે છે.
માછીમારી દરમ્યાન પડી હતી વીજળી
વોલ્ટરના પાછા ફરવાથી તેના અધિકારીઓ બિલકુલ ખુશ ન હતા. આવી સ્થિતિમાં મોટા અધિકારીઓએ તેમને બળજબરીથી નોકરીમાંથી કાઢી મુક્યા હતા. આ પછી તે પોતાનું જીવન શરૂ કરવા કેનેડા ગયો. વર્ષ 2023 માં એક દિવસ તે માછીમારી કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેના પર ફરીથી વીજળી પડી. આ અકસ્માતને કારણે તેના શરીરની જમણી બાજુનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ થોડા સમય બાદ તે ફરી એકવાર સ્વસ્થ થઈ ગયો. આ ઘટનાનાં છ વર્ષ પછી ત્રીજી વખત તેની ઉપર વીજળી પડી.
આજ સુધી કોઈ પણ તે વ્યક્તિ પર વીજળી પડવાનું કારણ નથી શોધી શક્યું
આ દુર્ઘટનાંનાં બે વર્ષ બાદ તેમનું અવસાન થયું. પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે વીજળી અને વોલ્ટર વચ્ચેનો સંબંધ અહીં જ પૂર્ણ થઈ ગયો છે. તો તમે સંપૂર્ણપણે ખોટા છો.આજ સુધી કોઈએ નથી શોધી શક્યું કે શા માટે દર છ વર્ષ પછી વીજળી તેમના પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.