બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 03:34 PM, 22 April 2023
આજે એટલે કે 22 એપ્રિલે 2.4 પર બુધ મેષ રાશિમાં વક્રિ થયો છે. એવામાં 15 મે સવારે 8.46 સુધી બુધ વક્રી ગતિથી ઉધી ગતીમાં ગોચર કરશે. ત્યાર બાદ બુધ માર્ગી થઈ જશે એટલે કે સીધી ગતિથી ગોચર કરવા લાગશે અને માર્ગી ગતિથી ગોચર કરતા 7 જૂન સાંજે 7.45 મિનિટ પર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એવામા બુધના આ વક્રી ગોચરથી ઘણી રાશિઓને વધારે લાભ મળશે. આવો જાણીએ.
મેષ
આ ગોચર તમારા પહેલા સ્થાન પર એટલે કે લગ્ન સ્થાન પર થયું છે. જન્મપત્રીકામાં લગ્ન એટલે કે પહેલા સ્થાનનો સંબંધ આપણા શરીર અને મુખથી છે. લગ્ન સ્થાન પર બુધના ગોચરથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે. તમારા મુખથી નિકળતી વાત પ્રભાવશાળી સાબિત થાશે.
આ સમયે તમને ધનની પ્રાપ્તિ થશે. લવમેટ્સની સાથે તમારા સંબંધમાં મજબૂતી આવશે અને સંતાન પક્ષને ન્યાયાલયથી લાભ મળશે. સુભ ફળ સુનિશ્ચિત કરવા માટે તમારા કોઈ પણ કામ પહેલા તેની દિશા સુચી તૈયાર કરી લો.
મિથુન
બુધનું વક્રી ગોચર તમારા આગિયારમાં સ્થાન પર થયું છે. જન્મપત્રીકાના અગિયારમાં સ્થાનનો સંબંધ આપણી આવક અને ઈચ્છાઓની પૂર્તિથી થાય છે. બુધના આ ગોચરથી તમારી આવકમાં વધારો થશે. સાથે જ તે તમારા સંતાનની પ્રગતિ કરાવશે.
આ સમયે તમારે અમુક હુનર સિખવાનો મોકો મળશે. 15 મે સુધી તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. એટલે કે શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે તાંબાના પૈસા ગળામાં ધારણ કરો.
સિંહ
બુધનું વક્રી ગોચર તમારા નવમા સ્થાન પર છે. જન્મપત્રિકાના નવમાં સ્થાનનો સંબંધ આપણા ભાગ્ય સાથે થાય છે. બુધના આ ગોચરથી તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
આર્થિક લાભની સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે. સાથે જ તમારૂ સ્વાસ્થ્ય સારી રહેશે. એટલે કે 15 મે સુધી ભાગ્યનો સાથ બનાવી રાખવા માટે લાલ રંગની ગોળી તમારી પાસે રાખો.
કન્યા
બુધના વક્રી ગોચર તમારા આઠમાં સ્થાન પર છે. જન્મપત્રિકાનું આ સ્થાન આયુ સાથે સંબંધ રાખે છે. બુધના આ ગોચરથી સુભ ફળોની પ્રાપ્તિ માટે તમને થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. તમારો આ સમયે મકાન પણ બદલવું પડી શકે છે.
15 મે સુધી અશુભ સ્થિતિથી બચવા માટે અને શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે માટીના વાસણમાં પિસેલી શાકર કે મધ ભરીને સુમસાન જગ્યા પર દાટી દો.
તુલા
બુધનું વક્રી ગોચર તમારા સાતમાં સ્થાન પર થયું છે. જન્મપત્રિકાના સાતમાં સ્થાનનો સંબંધ આપણા જીવનસાથીથી છે. બુધના આ ગોચરના પ્રભાવથી તમારૂ દામ્પત્ય જીવન શાનદાર રહેશે. આ સમયે તમાને ધન લાભ મળશે. જે લોકો હસ્તકલાના કામથી જોડાયેલા છે. તેમને ખાસ લાભ મળશે.
સાથે જ જો તમારી ઉપર કોઈ કેસ ચાલી રહ્યો છે તો 15 મે સુધી તેની દલીલ તમારા પક્ષમાં હશે. એટલે કે શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે તમારી બહેન, ફોઈને ગ્રીન કલરનું કંઈ ગિફ્ટ આપો.
વૃશ્ચિક
બુધનું વક્રી ગોચર તમારા છઠ્ઠા સ્થાન પર થયું છે. જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનનો સંબંધ આપણે મિત્ર, શત્રુ અને સ્વાસ્થ્યથી છે. બુધના આ ગોચરથી તમારા મિત્રોની લિસ્ટમાં વધારો થશે. શત્રુ પક્ષ તમારાથી દૂર રહેશે. તમે બીજાની મદદ કરશો. કોઈ પણ કામ ધૈર્યથી કરવા પર સફળતા મળશે અને સાથે જ ધન લાભ થશે.
સાથે જ બુધનું આ ગોચર તમારી વાણીને પ્રભાવશાળી બનાવશે. એટલે કે 15 મે સુધી શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે કોઈ શુભ કાર્ય કરવા માટે ઘરમાંથી બહાર જતી વખતે કન્યાને ફૂલ ગિફ્ટ કરો.
મીન
બુધનું વક્રી ગોચર તમારા બીજા સ્થાન પર થયું છે. જન્મપત્રિકાથી બીજા સ્થાનનો સંબંદ આપણા ધન અને સ્વભાવથી છે. બુધના આ ગોચરથી તમારા ધનકોષમાં વૃદ્ધિ થશે. સાથે જ તમારા પરિવાર માટે આ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી બૌદ્ધિક ક્ષમતા સારી રહેશે અને માતાનું સુખ મળશે.
શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ થશો. એટલે કે આ વક્રી ગોચરનું શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે માટીના ખાલી ઘડા ઢાંકીને પાણીમાં વહાવી દો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ