બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 10:46 PM, 21 December 2022
અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વધુ એક હડકંપ માચાવતો ખુલાસો થયો છે. ફિલ્મી ઢબે હત્યાકાંડ રાચાયાનું બહાર આવ્યું છે અને આ હત્યા લૂંટ માટે થઈ હોવાનો પર્દાફાશ થયો છે.મોજ સોખમાં બેફામ રૂપિયા ઉડાવ્યા બાદ આરોપી મનસુખ દેવાના ડુંગરમા દબાઈ ગયો હતો. જેમાંથી બહાર નીકળવા તેણે લૂંટનું ષડયંત્ર રચ્યુ હોવાનું બહાર આવ્યું છે. આરોપી મનસુખએ સારવાર અર્થે આવેલી યુવતીને એનેથીસિયાનો ઓવર ડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ યુવતી બાદ તેની માતાને પણ ઇન્જેક્શન આપ્યું હતું. જેથી તેનું પણ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ 3 માસ પહેલા પણ એક મહિલાનો આ પ્રકારે મૃતદેહ મળ્યો હતો. જેથી મનસુખ સામે શંકાની સોઈ તણાઈ રહી છે.
આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું
પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું. જેથી મૃતક મહિલાના દાગીના ઓળવી જવાના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતક મહિલાઓના શરીર પરથી દાગીના પણ ગાયબ છે.
બેડ નીચેથી માતાનો પણ મૃતદેહ મળ્યો હતો
મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું છે. જે આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવતી હતી. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનની મૃતદેહ કબાટમાં મુકવામાં આવ્યો હતો. અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં હોસ્પિટલની બહારના CCTV મળ્યા હતા જેમાં ભારતી પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. પોલીસે તેની માતા ની શોધખોળ કરતા તેનો મૃતદેહ પર હોસ્પિટલમાં બેડ નીચે છુપાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ડબલ મર્ડર કેસમાં પોલીસે ગુનો નોંધીને મૃતદેહનો પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે માતા પુત્રીની હત્યા એનેશથેસિયાના ઓવર ડોઝ આપીને કરવામાં આવી હતી અને હત્યા મનસુખ નામના હોસ્પિટલના કમ્પાઉન્ડરએ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હત્યા પાછળ અનૈતિક સંબધ છે કે કોઈ અન્ય કારણ તેની તપાસ ચાલી રહી છે.
આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર
મૃતક ભારતી વાળાના લગ્ન ચાર વર્ષ પહેલાં બહેરામપુરાના લક્ષમણ વાળા સાથે થયા હતા.. બન્નેને સંતાન નથી. પરંતુ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતા 6 માસ પહેલા ભારતી રિસાઈને પિયર શાહવાડી આવી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભારતીના કાનના પરદાની દવા ડો અર્પિત શાહની હોસ્પિટલમાં ચાલતી હતી. ભારતી સવારે 9 વાગે માતા સાથે હોસ્પિટલમાં આવી હતી.. અને 9.30 થી 10.30 સુધી હોસ્પિટલ ના CCTV બંધ રાખવામાં આવ્યા હતા. આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર થાય છે. આ ઘટનાથી પરિવારે આક્રંદ સાથે રોષ વ્યકત કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ