બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
VTV / ધર્મ / Before keeping Ganga water at home, know about these 8 rules, see in which place and in what container should it be kept?
Megha
Last Updated: 10:18 AM, 17 November 2022
આપણા હિંદુ ધર્મમાં ગંગાજળ વીના કોઈપણ દેવી-દેવતાની પૂજા કે ધાર્મિક-માંગલિક કાર્ય અધૂરું માનવામાં આવે છે. સાથે જ એવી માન્યતા છે કે ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી કોઈ પણ વ્યક્તિના દરેક પાપ દૂર થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ કારણે મોટી સંખ્યામાં લોકો ગંગા સ્નાન કરવા અને દાન કરવા માટે ગંગાના કિનારે પહોંચે છે. આ સાથે જ અઢળક લોકો પોતાના ઘરે વાસણમાં ગંગાજી નું પાણી ભરીને લાવે છે અને ઘરમાં રાખે છે પણ આ કરતા પહેલા જાણી લેવું જોઈએ કે પવિત્ર ગંગાજળ કયા પાત્રમાં અને ક્યાં રાખવું જોઈએ? આજે અમે તમને ગંગા જળ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
ગંગાજળથી જોડાયેલ 8 જરૂરી નિયમો
આપણએ બધા જાણીએ છીએ કે ગંગા જળ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે એટલા માટે તેને ક્યારેય પણ અપવિત્ર જગ્યાએ ન રાખવું.
દરેક શુભ કર્યોમાં ઉપયોગમાં લેવાતા ગંગાના જળને હંમેશા કાંસા કે તાંબાના વાસણમાં રાખવું જોઈએ.
આ સાથે જ પ્લાસ્ટિકના વાસણમાં ગંગા જળને ક્યારેય સંગ્રહિત ન કરવું.
પવિત્ર ગંગાજળને ક્યારેય ખરાબ હાથથી કે પગમાં ચંપલ પહેરીને સ્પર્શ ન કરવો જોઈએ.
ઉપરાંત ગંગાજળને ક્યારેય અંધારાવાળી જગ્યાએ બંધ ન રાખવું.
પૂજનીય ગણાતા ગંગા જળને હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે કે પૂજા ઘરની નજીકમાં રાખવામાં આવે છે.
પૂજા કે સ્નાન માટે જો તમારી પાસે ગંગાજળ ઓછું હોય તો તેને પાણીમાં ભેળવીને પણ ઉપયોગ કરી શકાય છે
ગંગાના પાણીને સ્પર્શ કરીને ક્યારેય ખોટું કે કોઈ ખરાબ શબ્દો ન બોલવા જોઈએ.
ગંગાજળથી જોડાયેલ 4 ચમત્કારી ઉપાય
દરરોજ ભગવાનની પૂજા કરતા પહેલા ખુદને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ.
જણાવી દઈએ કે ભગવાન શિવની પૂજામાં ગંગાજળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ શિવલિંગ પર ગંગાના પવિત્ર જળને અર્પિત કરે છે તો તેને જલ્દી મહાદેવની ઈચ્છા પ્રાપ્ત થાય છે.
જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય કે કશું અશુભ થઈ રહ્યું હોય તો દરરોજ ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટવું જોઈએ.
માનવામાં આવે છે કે ગંગાજળ છાંટવાથી ખરાબ નજર અને ખરાબ સપના સામે રક્ષણ મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ