બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Bageshwar Dham viral video of dhirendra krishna shastri
Parth
Last Updated: 08:52 PM, 20 January 2023
મીડિયાને ખુલ્લી ચેલેન્જ
મનની વાત જાણી લેવા માટે પ્રખ્યાત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો હાલનો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મીડિયાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. કહ્યું જ્યાં જ્યાં દરબાર લાગે છે ત્યાં આવો બેસો. હું પણ અંધવિશ્વાસના વિરુદ્ધ છું, કોઈને પણ મરચાં લાગી રહ્યા હોય તો તમામ ન્યૂઝ વાળાને કહું છું આવી જાઓ. તમે કોણ છો મને સર્ટિફિકેટ આપનારા કે મારા પાસે હનુમાન દાદાની કૃપા છે કે નહીં? મને મારા ગુરુજીએ પ્રમાણપત્ર આપી દીધું છે.
ટ્વિટરમાં સતત ટ્રેન્ડમાં છે બાબા
નોંધનીય છે કે થોડા દિવસથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં બાબા સતત ટ્રેન્ડમાં છે અને લોકો તેમના સમર્થનમાં અનેક પોસ્ટ પણ કરી રહ્યા છે.
હું કોઈથી ડરતો નથી, હિન્દૂ શેર છીએ ભાગેડૂ નહીં...'
તેમણે કહ્યું કે 'હું કોઈથી ડરતો નથી, હિન્દૂ શેર છીએ ભાગેડૂ નહીં...' તેમણે વધુમાં કહ્યું કે 'અહીંયા તો લોકો ભગવાન રામને પણ નથી છોડતાં તેમના પર પણ સવાલો ઊઠાવે છે. ભગવાન રામથી તેમના હોવાના પૂરાવાઓ માંગવામાં આવ્યાં છે. અમે તો માણસ છીએ, અમને થોડી છોડશે...'
કેમ અચાનક વધ્યો છે વિવાદ?
મહારાષ્ટ્રની સંસ્થા અંદ્ધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિનાં શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે બાગેશ્વર ધામ સરકારને પડકાર્યું છે કે તે નાગપુર મંચ પર આવે અને પોતાનો ચમત્કાર દેખાડે. સંસ્થાને કહ્યું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કરે છે તો તેને 30 લાખ રૂપિયા આપવામાં આવશે પરંતુ તેમણે આ ચેલેન્જ સ્વીકારી નથી.
કોણ છે બાગેશ્વર ધામ સરકાર?
બાગેશ્વર ધામ સરકાર મધ્યપ્રદેશનાં છત્તરપુર જિલ્લામાં સ્થિત છે. બાગેશ્વર દરબારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની અરજીઓ લઈને આવતાં હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારનાં નામથી દુનિયાભરમાં પ્રસિદ્ધી મેળવી ચૂક્યાં છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણાં વાયરલ થતાં હોય છે. કહેવામાં આવે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોનાં મનની વાતો વાંચી શકે છે. એટલું જ નહીં શાસ્ત્રી દરબારમાં આવેલા વ્યક્તિનાં મોબાઈલ નંબર અને ઘરમાં રાખેલી ચીજો વિશે પણ માહિતી આપે છે.
ભલભલા નેતાઓ નમાવે છે શીશ
26 વર્ષીય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનાં હજારો લોકો ભક્ત છે જેમની સામે નેતાઓ પણ માથું નમાવે છે. આ બાબા પોતાના પાસે હંમેશા એક ગદા રાખે છે. આલોચના કરનારાની સામે જવાબ આપતાં પ્રવચન દરમિયાન બાબાએ કહ્યું કે હનુમાનજી અમને જે પ્રેરણા આપશે તે જ અમે જણાવશું, આ વિધર્મીઓ ઘણાં આવશે અને જે બોલી રહ્યાં છે તેમને એટલું જ કહેવું છે કે અમે પણ અંધવિશ્વાસનાં વિરોધી છીએ. અમે પણ ગુનિયા, ઓઝા, તાંત્રિકોનાં વિરોધી છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ