બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Hiralal
Last Updated: 03:04 PM, 3 April 2024
અરુણાચલ પ્રદેશના ઝીરો શહેરની હોટલમાં કેરળના કપલ 35 વર્ષીય નવીન થોમસ અને તેની પત્ની દેવી અને બન્નેની ફ્રેન્ડ અને ટીચર આર્યા બી નાયર મૃતપાય હાલતમાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને રૂમમાંથી કાપેલા વાળ જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. તેમજ ત્રણેયની લાશ પણ રૂમમાં અલગ અલગ જગ્યાએ પડી હતી.
'જ્યાં જવા માગીએ છીએ ત્યાં જઈએ છીએ તેથી ખુશ છીએ'
પોલીસને રુમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં લખવામાં આવ્યું હતું કે તેઓ ખુશ છે અને જ્યાં જવા માંગે છે ત્યાં જઈ રહ્યા છે. તેમજ પોલીસને ઘટના સ્થળેથી એક ફોન નંબર મળ્યો છે, જે જીવ ગુમાવનાર પૈકી એકના પરિવારનો હતો.
કેરળથી આસામ અને ત્યાંથી અરુણાચલ પહોંચ્યાં
આર્યનો ગુમ થયાનો રિપોર્ટ તેના પિતાએ તિરુવનંતપુરમમાં નોંધાવ્યો હતો. ત્રણેય 27 માર્ચે ગુવાહાટી પહોંચ્યા હતા અને 28 માર્ચે ઝિરો શહેર ગયા હતા. હોટલનું કહેવું છે કે 28 માર્ચે ચેક ઇન કર્યા બાદ ત્રણેય બીજા દિવસે ફરતા જોવા મળ્યા હતા, પરંતુ સોમવારથી રૂમની બહાર જોવા મળ્યા નથી. મંગળવારે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે રુમ અંદરથી બંધ જોવા મળ્યો હતો અને દરવાજો તોડીને જોવામાં આતાં ત્રણેય બેહોશ પડ્યાં હતા અને હાથ પર ઊંડા ઘા જોવા મળતાં હતા. એસપી કેની બગરાએ જણાવ્યું કે, એક લાશ જમીન પર પડી હતી, બીજી બેડ પર પડી હતી. નવીનની લાશ વોશરુમમાં પડી હતી.
કાળા જાદુનો શક કેમ પડ્યો
પોલીસને તપાસ દરમિયાન કેટલાક વાળ, કાળા રંગના બ્રેસલેટ અને અન્ય કેટલીક સામગ્રી મળી આવી હતી. "સ્ત્રીઓના જમણા હાથ પર ઘાના નિશાન હતા અને પુરુષના ડાબા હાથ પર ઊંડા કટનું પણ નિશાન જોવામાં આવ્યું હતું. એવું લાગે છે કે પુરુષે પહેલા બંને સ્ત્રીઓની હત્યા કરી હતી અને બાદમાં આપઘાત કર્યો હતો. દેવીના પિતા બાલન માધવનનું કહેવું છે કે તેમની પુત્રી કાળા જાદુનો શિકાર બની હતી. નવીન અને દેવીને જાણનારાઓએ જણાવ્યું કે, બંનેના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા અને બાદમાં નવીને ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જોકે, બાદમાં બંનેએ આયુર્વેદમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ