બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Hiren
Last Updated: 03:33 PM, 15 March 2021
એન્ટિલિયા કેસ મામલે સચિન વાજે પર વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. સચિન વાજેને મુંબઈ પોલીસે સસ્પેન્ડ કર્યો છે. મુંબઈ પોલીસે સોમવારે સચિન વાજેની ધરપકડના કારણે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે સચિન વાજે 25 માર્ચ સુધી NIA કસ્ટડીમાં છે. તેના પર એન્ટીલિયા કેસનું સૂત્રધાર હોવાનો આરોપ છે.
Police officer Sachin Waze placed under suspension by an order of Addl CP Special Branch: Mumbai Police PRO, S Chaitanya to ANI
— ANI (@ANI) March 15, 2021
He was arrested by NIA in connection with its investigation into the recovery of explosives from a car parked near Mukesh Ambani's house in Mumbai. pic.twitter.com/ent3Il45bA
જણાવી દઇએ કે, સચિન વાજેની ધરપકડ અંદાજિત 12 કલાક સુધી લાંબી ચાલેલી પૂછપરછ બાદ કરવામાં આવી. જોકે NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન વાજે આ ષડયંત્રના એકલા સૂત્રધાર નથી, પરંતુ હજુ કેટલાક અન્ય પોલીસ અધિકારીઓ આ કેસમાં હોઇ શકે છે.
NIA સૂત્રના અનુસાર, શનિવાર બપોરે સાડા અગ્યાર વાગ્યાથી મુંબઈના NIA ઓફિસમાં સચિન વાજેની પૂછપરછ થઇ. આ પૂછપરછ દરમિયાન NIAએ સચિનની સામે કેટલાક જરૂરી પુરાવા રાખ્યા, જ્યા બાદ સચિને આ ષડયંત્રમાં સામેલ હોવાની વાત કબૂલી લીધી, પરંતુ સાથે જ કહ્યું કે, તેઓ આ ષડયંત્રમાં એક મોહરો છે.
NIA સૂત્ર અનુસાર, સચિનની ધરપકડના 2 સૌથી મહત્વનું કારણ બનેલી તે 2 ગાડી, જેનો ઉપયોગ 25 ફેબ્રુઆરીએ એન્ટિલિયા કેસમાં કરવામાં આવ્યા હતા, જે સ્કૉર્પિયોમાં 20 જિલેટિન સ્ટિક અને ધમકી ભરેલો પત્ર રાખવામાં આવ્યો હતો, તે સ્કૉર્પિયો જોકે 17 ફેબ્રુઆરીથી સચિન વાચેની પાસે હતી. NIAએ આના પૂરાવા પણ મેળવી લીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAને પણ એ જાણ થઇ છે કે 17 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સ્કૉર્પિયો થાણેમાં ક્યાંક પાર્ક હતી, આ સિલસિલામાં NIAની ટીમ વિક્રોલી થાણેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે અંતે વિક્રોલી થાણેમાં કોના કહેવા પર સ્કૉર્પિયોની ચોરીનો રિપોર્ટ લખવામાં આવ્યો. આ રિપોર્ટ મનસુખ હીરેનને લખાવ્યો હતો 18 ફેબ્રુઆરીએ.
સ્કૉર્પિયોની સાથો સાથ એન્ટિલિયા સુધી જે સફેદ ઈનોવા કાર ગઇ અને જે ઇનોવામાં બેસીને સ્કૉર્પિયોનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી નિકળી ગયો, તે ઇનોવાનું રાઝ પણ ખુલી ગયું છે. આ ઇનોવાનો રાઝ પણ ખુલી ગયો છે. આ ઇનોવા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈયૂ યૂનિટના બેડાની કાર છે. 25 ફેબ્રુઆરીની રાત્રે એન્ટિલિયામાં સ્કોર્પિયો પાર્ક કર્યા બાદ આ ઈનોવા મુલંડના નાક પર દેખાઇ હતી.
આના સીસીટીવી ફૂટેજ પણ છે, પરંતુ ત્યારબાદ ઈનોવા મુંબઈ તરફ આવે છે. બાદમાં આ ઇનોવાને મુંબઈ પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે. નાગપાડામાં હાજર આ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં મુંબઈ પોલીસની તમામ ગાડીઓના રિપેરિંગ હોય છે. ક્રાઇમ બ્રાન્ચ સીઆઈયૂ યૂનિટથી જોડાયેલ આ ઇનોવાનો ઉપયોગ સચિન વાજે અને તેમની ટીમ જ તમામ ઑફિશિયલ કામ માટે કરતા હતા.
સામનામાં સચિન વાજેની ધરપકડ મુદ્દે પ્રહાર
એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી કાર મામલે સચિન વાજેને મુંબઈ પોલીસે સસ્પેન્ડ કરી દીધા છે. તેવામાં હવે સામાના સચિન વાજેના બચાવમાં ઉતર્યું છે. સામનામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. સામનામાં લખાયું કે બદલો લેવાની નીતિથી કેન્દ્ર સરકાર કાર્યવાહી કરી રહી છે. સરકારે વાજેનું ટ્રાન્સફર કરીને ATSને તપાસ સોંપી હતી. તેમ છતાં કેન્દ્રએ ATSની તપાસ NIAને સોંપી દીધી. વાજેએ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી. જેથી વાજે કેન્દ્રના હિટલિસ્ટમાં હતા. અને આ બદલાની નીતિથી વાજે વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા