બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Malay
Last Updated: 09:16 AM, 24 July 2023
અમદાવાદમાંથી એકબાદ એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે મણીનગરમાં અકસ્માત સર્જાયા બાદ શહેરના ઉસ્માનપુરા નજીકથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે રોડ ઉસ્માનપુરા નજીક કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઉસ્માનપુરા નજીકની ઘટના
મળતી માહિતી અનુસાર, શહેરના ઉસ્માનપુરા નજીક આવેલી એસ્પાયર હોટલની સામે આજે સવારે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન વેગેનાર કારના ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગઈકાલે રાત્રે મણીનગરમાં સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો. મણીનગર વિસ્તારમાં આવેલા જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ત્રણને દબોચી લીધા
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ