બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Anju in Pakistan said that she wants to come back to India and she is feeling sad

વિશ્વ / મારે ભારત પાછા આવવું છે: પ્રેમી માટે પાકિસ્તાન જઈને ચર્ચામાં આવેલી અંજુને અચાનક શું થયું ?

Vaidehi

Last Updated: 05:48 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anju Pakistan News: પાકિસ્તાન પહોંચેલી અંજૂએ કહ્યું કે,' હું ભારત જવા ઈચ્છું છું, મીડિયાને જવાબ આપવા ઈચ્છું છું, મારા બાળકોને મળવા ઈચ્છું છું.'

  • વિઝા લઈને પાકિસ્તાન પહોંચેલી અંજૂનું નિવેદન
  • તેણે કહ્યું કે 'હું ભારત જવા ઈચ્છું છું'
  • નિકાહ બાદ અંજૂ હવે દુ:ખી છે

Anju Pakistan News : ભારતની અંજૂ પખ્તૂનખ્વા પોતાના ફેસબુક ફ્રેંડને મળવા માટે પાકિસ્તાન ગઈ હતી. શરૂઆતમાં તો તે એવું કહી રહી હતી કે તે અહીં માત્ર ફરવા આવી છે પરંતુ પછી ફોટો સામે આવ્યો જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધાં છે. આ સિવાય અંજૂએ પોતાનું ધર્મપરિવર્તન પણ કરી લીધું છે. પરંતુ હવે અંજૂએ કહ્યું કે તે દુ:ખી છે. 

'હું ભારત જવા ઈચ્છું છું'
ભારતથી વિઝા લઈને પાકિસ્તાન ગયેલી અંજૂએ કહ્યું કે તે પાછી આવવા ઈચ્છે છે. તેણે કહ્યું કે,' તેણે જે વિચાર્યું હતું તેવું કંઈ જ નથી. મેં અહીં જે કર્યું છે તેના લીધે મારા પરિવારની બદનામી થઈ રહી છે. આ જ કારણે હું અત્યંત દુ:ખી છું. મને મારા બાળકોની યાદ આવે છે.'

 'હું અત્યંત દુ:ખી છું'
રિપોર્ટ અનુસાર અંજૂએ કહ્યું કે, અહીં (પાકિસ્તાનમાં) બધું પોઝિટિવ છે. હું અહીં કોઈ બીજી પ્લાનિંગથી આવી હતી. પરંતુ મેં જે વિચાર્યું હતું તેની જગ્યાએ કંઈક બીજું જ થઈ રહ્યું છે. ક્યાંકને ક્યાંક મારાથી પણ મિસ્ટેક થઈ ગઈ છે. કારણકે અહીં જે પણ થયું છે તેનાં કારણે ત્યાં (ભારતમાં) મારી ફેમિલીને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ બધું જ મારા લીધે થયું છે જેના કારણે હું અત્યંત દુ:ખી છું. અને બીજી વાત કે બાળકોનાં મનમાં મારી શું ઈમેજ બની હશે?'

' મારી સાથે કોઈ જબરદસ્તી નથી કરવામાં આવી'
અંજૂએ કહ્યું કે,'  હું કંઈ પણ કરીને ભારત જવા ઈચ્છું છું. હું દરેક ચીજનો સામનો કરવા ઈચ્છું છું. હું ત્યાંની મીડિયાને પણ જવાબ આપવા ઈચ્છું છું. મારી પાસે તેમના તમામ સવાલોનો જવાબ છે. હું તેમને જણાવીશ કે મારી સાથે કોઈ જબરદસ્તી નથી કરવામાં આવી. મને ઘણી સારી રીતે રાખવામાં આવ્યું છે. આ મારો જ નિર્ણય હતો. બસ મીડિયાનાં પ્રેશરનાં લીધે હું જલ્દી પાછી નથી જઈ શકતી. હું જવા ઈચ્છું છું અને ફરી એકવાર બાળકોને મળવા ઈચ્છું છું કારણકે હું તેમને રાતદિવસ યાદ કરું છું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ