બ્રેકિંગ ન્યુઝ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો
અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે
મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો
Ronak
Last Updated: 02:30 PM, 11 October 2021
અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે તેને લઈને તંત્ર દ્વારા પુર જોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં બ્રિજ બનાવીને ટ્રાફીકની કામગીરીને દૂર કરવામાં આવતી હોય છે. ત્યારે વધુમાં તંત્ર દ્વારા વધું એકલ બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોને ટ્રાફીકથી રાહત મળી રહે.
યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે બ્રીજ નિર્માણનું કામ
શેહરમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે વધું એક બ્રિજનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે તંત્ર દ્વરા અહીયા અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ થોડાક દિવસો પહેલાજ વૈષ્ણવદેવી સર્કલ પાસે ફ્લાયઓવર બ્રીજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિતશાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
હવે ટ્રાફિકની સમસ્યા નહી સર્જાય
જોકે હવે અહિયા ટ્રાફિકની સમસ્યા જરા પણ નહી સર્જાય કારણકે લોકો માટે હવે તંત્ર દ્વારા વૈષ્ણવદેવી સર્કલ પાસે અંડરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. જે રીતે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં અંડરબ્રીજને પૂરી તૈયાર કરી દેવામાં આવશે. જેથી શહેરીજનોને મોટી રાહત મળી રહેશે.
શહેરીજનોને મળશે મોટી રાહત
ઉલ્લેખનીય છે કે જે આ અંડરબ્રીજ બનવાને કારણે ટ્રાફીકની સમસ્યા ઘટી જશે. જેમા ખાસ કરીને રિંગ રોડથી આવતા જતા વાહનોને હવે જરા પણ મુશ્કેલી નહી પડે. મહત્વનું છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર હવે એકશનમાં મોડમાં આવી ગયું છે. જેમા બ્રીજ બનાવીને શક્ય બને તેટલી ટ્રાફીકની સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ