બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / An accident occurred between a truck and a traveler on the SG highway in Ahmedabad
Malay
Last Updated: 08:00 AM, 28 September 2023
Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે જ ગુજરાતમાં બે અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજે અમદાવાદના એસ.જી હાઈવે પર અને ભાવનગરના શિહોરમાં અકસ્માત સર્જાયો છે.
પકવાન બ્રિજ પર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે.
ટ્રાફિક પોલીસ દોડી આવી ઘટના સ્થળે
આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ SG-2 ટ્રાફિક પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
સિહોર પંથકમાં રખડતા ઢોરનો આંતક
તો ભાવનગર જિલ્લામાંથી પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરને કારણે ફરીવાર એક વ્યક્તિનું મોત થયું છે. ભાવનગરના સિહોરના સણોસરા-નોઘણવદર રોડ પર બાઇક વચ્ચે ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
બાઈકસવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ
આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે બાઈક સવારનું અનીશભાઈ મોતિયાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાઈકસવાર અનીશભાઈનું અકાળે મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ