બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / ameesha patel got angry at gadar 2 director over mismanagement anil sharma

મનોરંજન / 'Thank You, તે તો મારા...', અમીષા પટેલના ગંભીર આક્ષેપ પર 'ગદર 2'ના ડાયરેક્ટર અનિલ શર્માનો વળતો જવાબ

Bijal Vyas

Last Updated: 01:19 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી અમીષા પટેલે અનિલ શર્મા પર આરોપ લગાવીને હંગામો મચાવ્યો છે, તેના પ્રોડક્શન હાઉસને લઇને ગંભીર ટિપ્પણી કરવા પર વિવાદ થયો છે. જાણો શું છે મામલો..

  • અમીષાએ 'ગદર 2'ના સેટ પર અનિલ શર્મા અને તેના પ્રોડક્શન હાઉસ પર લગાવ્યો ગંભીર આરોપ
  • અનિલ શર્માએ અમીષાનો આભાર માન્યો 
  • ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Ameesha Patel Allegations: અનિલ શર્માએ 'ગદર' અને 'ગદર 2'નું ડાયરેક્શન ની સાથે પ્રોડક્શન પણ કર્યું છે, જેમાં સની દેઓલ સાથે અમીષા પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ અભિનેત્રીએ અનિલ શર્મા પર આરોપ લગાવીને હંગામો મચાવ્યો છે. અમીષા પટેલે 'ગદર 2'ના સેટ પર અનિલ શર્મા અને તેના પ્રોડક્શન હાઉસ પર ખરાબ પ્રબંધનનો આરોપ લગાવ્યો છે. થોડા અઠવાડિયા પહેલા, અમીષા પટેલે દાવો કર્યો હતો કે ચંદીગઢમાં 'ગદર 2' ના સેટનું સંચાલન નબળું હતું, તેણે સીધો અનિલ શર્માના પ્રોડક્શન હાઉસને જવાબદાર ઠેરવ્યો હતો.

અમીષા પટેલે એવો પણ દાવો કર્યો હતો કે, મેક-અપ આર્ટિસ્ટ અને તેના કોસ્ચ્યુમ ડિઝાઈનરોને પ્રોડક્શન હાઉસ દ્વારા તેમના કામ માટે લેણાં અને બાકી રકમ ચૂકવવામાં આવી નથી. અમીષાના આરોપોના જવાબમાં અનિલ શર્માએ મીડિયાને જણાવતા કહ્યું, 'મને ખબર નથી કે તેણીએ આવું કેમ કહ્યું. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આ બધુ જુઠ્ઠું છે, આમાંના કોઈપણ આરોપોમાં કોઈ સત્ય નથી.'

અનિલ શર્મા આગળ કહે છે, 'હું અમીષા પટેલનો આભાર માનવા માંગુ છું. તેણે મારા પ્રોડક્શન હાઉસને પ્રખ્યાત કર્યું. આનાથી વધુ મહત્ત્વનું શું હોઈ શકે?  હું તેમનો નવા પ્રોડક્શન હાઉસને પ્રખ્યાત કરવા બદલ આભાર માનું છું.'

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ગદર 2'માં અમીષા પટેલ અને સની દેઓલ ઉપરાંત ડિરેક્ટરનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં છે. ઉત્કર્ષે 2001માં આવેલી ફિલ્મ ગદરમાં બાળકની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ