બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Hiren
Last Updated: 01:28 PM, 10 October 2021
અમદાવાદનો સતત વિકાસ થઇ રહ્યો છે. શહેરના મધ્ય વિસ્તારોમાં રિ-ડેવલપમેન્ટના સોદા પણ સતત વધી રહ્યા છે. શહેરના હાર્દ સમા વિસ્તારોમાં આવેલી જૂની સોસાયટીઓમાં દાયકાઓથી વસવાટ કરતા રહિશો પોતાનો વિસ્તાર છોડવા માંગતા નથી તેથી રિ-ડેવલપમેન્ટ માટે બિલ્ડરોનો સંપર્ક કરી રહ્યા છે.
અમદાવાદીઓમાં રિ-ડેવલપમેન્ટને લઈને ઉત્સાહ
એક અંદાજ મુજબ, અમદાવાદમાં હાલમાં 500 જેટલી જૂની સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ અથવા તો સંપૂર્ણ વેચાણની વાટાઘાટો ચાલી રહી છે. જોકે, રિ-ડેવલપમેન્ટમાં અનેક પડકારો પણ આવી રહ્યા છે અને તેથી જ રિડેવલપમેન્ટ સોદામાં ઘણો સમય લાગે છે.
રિ-ડેવલપમેન્ટ અથવા સંપૂર્ણ સોસાયટીના વેચાણના સોદા થયા
તાજેતરમાં જ અમદાવાદમાં નવરંગપુરા, સીજી રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં રિ-ડેવલપમેન્ટ અથવા તો સંપૂર્ણ સોસાયટીના વેચાણના સોદા થયાં છે. શહેરમાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને જૂની સોસાયટીઓમાં વસવાટ કરતા લોકોને નવા અને વધારે સારાં મકાનો મળી શકે તે હેતુથી રિડેવલપમેન્ટ માટે સરકારે ખાસ પોલિસી બનાવી છે. અમદાવાદ આજે એસપી રિંગરોડ સુધી વિસ્તરી ચૂક્યું છે અને શહેરના દૂર-દૂરના વિસ્તારોમાં સતત નવા મકાનો વેચાઇ રહ્યા છે.
ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ 1973માં સુધારો કરાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ગુજરાત સરકારે વર્ષો જૂની ઇમારતોના રિ-ડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરી હતી. ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ 1973માં સુધારો કરવામાં આવ્યો હતો. જે સુધારા અંતર્ગત પઝેશનની તારીખથી 25 વર્ષ જૂની ઇમારતોને રી-ડેવલોપ કરાશે. જોકે રી-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ જમીન માલિકોના કુલ 75 ટકા માલિકોની સંમતિ ફરજિયાત રહેશે. તેમજ હાઉસિંગ કોલોની રી-ડેવલપમેન્ટ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ઈમારત જર્જરીત અને જોખમી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ