બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the Vadodara Harani boat tragedy, school administrators issued guidelines
Dinesh
Last Updated: 05:09 PM, 15 February 2024
વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ મોડા મોડા હવે વડોદરા શહેરના શાળા સંચાલકોને ડાહપણનો વિચાર ફૂટ્યો છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકો માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં બાળકો ,શિક્ષકો અને કર્મચારીઓની સલામતી માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
માર્ગદર્શિકા બહાર પાડી
હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા બાદ શાળા સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ સામે અનેક સવાલ ઉભા થયા હતા. ત્યારે હવે વડોદરા શહેરમાં આવેલી ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો એ મોડે મોડે શાળાના બચાવ અને બાળકોની સલામતી માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ દ્વારા શાળાની બહાર કોઈ પણ પ્રવાસ, પ્રવૃત્તિ કે કાર્યક્રમ ટાળવા માટે તેમજ શાળામાં ફાયર સેફટી અને વીજ ઉપકરણોનું નિયમિત પણે પરીક્ષણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તમામ શાળાએ બી.યુ તેમજ ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવી લેવા પણ તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે શાળાના મકાનો જુના હોય તો સક્ષમ અધિકારી પાસેથી સ્ટેબિલિટી સર્ટી અને શાળાના ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે પણ RTOના નિયમોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે તેમજ ખાનગી વાહનોમાં મોકલવામાં આવતા બાળકોની જવાબદારી વાલીઓ માથે ઢોળી દેવામાં આવી છે.
વાંચવા જેવું: ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે
શાળા સંચાલકોએ સમિતિ બનાવી
વાલી મંડળે પણ શાળા સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ આ નિર્ણયો વહેલા લેવાની જરૂર હતી, કારણે કે આ નિર્ણયથી આવનાર સમયમાં ચોક્કસ બાળકોનું હિત જળવાશે અને આ નિયમો બનાવ્યા તેનું ચુસ્ત પણે પાલન થવું પણ એટલું જ જરૂરી છે. તો સાથે જ શાળા સંચાલકોએ એક સમિતિ બનાવી જેમાંથી વાલીઓને બાકાત રાખવામાં આવ્યા છે. ત્યારે આ સમિતિમાં વાલીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગ છે. જેથી વાલીઓ પાસે આવતી ફરિયાદો અને સૂચનોને શાળા સંચાલકો સુધી સરળતાથી પોહચાડી શકાય. ઉલ્લેખનીય છે ખાનગી શાળા સંચાલક મંડળએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડે મોડે માર્ગદર્શિકા જાહેર કરી છે. વાગે ત્યારે જાગે એ કહેવત અહી સાર્થક થતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે માર્ગદર્શિકા બાદ વિદ્યાર્થીઓનું હિત ખરેખર જળવાશે કે પછી અગાઉની જેમ માત્ર કાગળ પર જ કાગડા દેખાશે તે આવનારો સમય જ બતાવશે.
દુર્ઘટના કેસમાં ત્રણની ધરપકડ
અત્રે જણાવીએ કે, વડોદરામાં હરણી દુર્ઘટના કેસમાં વધુ 3 આરોપી ઝડપાયા છે. આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી શરુ કરી છે. જેમાં વત્સલ શાહ, નૂતનબેન શાહ,વૈશાલીબેન શાહની ધરપકડ કરાઈ છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ