બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / અજબ ગજબ / Aditya L1: Study of solar quakes is required as they affect the geomagnetic filed of the earth says ISRO Scientist R Ramesh
Vaidehi
Last Updated: 05:26 PM, 1 September 2023
ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ1 લૉન્ચિંગ માટે તૈયાર છે. ઈસરોનાં પ્રમુખ એસ.સોમનાથે જણાવ્યું કે ટીમે 2 સપ્ટેમ્બરનાં લૉન્ચિગની તૈયારી અને રિહર્સલ પૂર્ણ કરી લીધેલ છે. જો કે એક વૈજ્ઞાનિકે કહ્યું કે મિશન પહેલાં સૌર ભૂકંપોનું અધ્યયન કરવા માટે 24 કલાક સૂર્ય પર નજર રાખવી જરૂરી છે.
24 કલાક સૂર્ય પર રાખવી પડશે નજર
પૃથ્વીની જેમ સૂર્ય પર પણ સતત ભૂકંપ આવતાં હોય છે. સૌર ભૂકંપોને કોરોનલ માસ ઈજેક્શન CME કહેવામાં આવે છે. ભારતના Aditya L1 સૌર મિશનથી પહેલાં ઈસરોનાં પ્રોફેસર અને પ્રભારી વૈજ્ઞાનિક ડૉ. આર.રમેશે કહ્યું છે કે સૌર ભૂકંપોનું અધ્યયન કરવા માટે 24 કલાકનાં આધારે સૂર્ય પર નજર રાખવી જરૂરી છે. કારણકે તે પૃથ્વીનાં ભૂ-ચુંબકીય ક્ષેત્રને બદલી શકે છે.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
— ISRO (@isro) August 28, 2023
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.
Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
લાખો-કરોડો ટન સૌર સામગ્રી અંતરિક્ષમાં ફેંકાય છે
તેમણે જણાવ્યું કે સૌર ભૂકંપ દરમિયાન લાખો-કરોડો ટન સૌર સામગ્રી અંતરગ્રહીય અંતરિક્ષમાં ફેંકાઈ જતી હોય છે. તેમણે જણાવ્યું કે CME લગભગ 3000 કિમી પ્રતિ સેકન્ડની ગતિથી યાત્રા કરી શકે છે. તેમણે કહ્યું કે કોઈ CME પૃથ્વી તરફ પણ આગળ વધે છે જે લગભગ 15 કલાકમાં પૃથ્વી સુધી પહોંચી શકે છે.
સેટેલાઈટને નુક્સાન પહોંચાડે છે
વૈજ્ઞાનિકે કહ્યું કે CME ક્યારેક-ક્યારેક ઉપગ્રહો એટલે કે સેટેલાઈટને નુક્સાન પહોંચાડે છે. CME દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવેલા કણ પ્રવાહને કારણે ઉપગ્રહો પર હાજર કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ ખરાબ થઈ જાય છે. તેમણે કહ્યું કે CME જ્યારે પૃથ્વી પર પહોંચે છે તો એ હાઈ વોલ્ટેજ ટ્રાંસફાર્મરને પ્રભાવિત કરે છે તેથી સૂર્ય પર સતત નજર રાખવા માટે ઓબ્ઝર્વેશન સેન્ટર ઊભું કરવું ખૂબ જ આવશ્યક છે અને તે ફક્ત L1 બિંદુથી જ શક્ય છે.
L1 પરથી સતત રાખવામાં આવશે નજર
ભારત પોતાની સેટેલાઈટને લેન્ગ્રેંજ 1 પોઈન્ટ પર સ્થાપિત કરવા માટે Aditya L1ને લૉન્ચ કરી રહ્યું છે. સંસ્થાનાં અધિકારીઓએ કહ્યું કે તેમને 24 કલાક સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે જેથી સૂર્ય પર જે પણ પરિવર્તન આવી રહ્યાં છે તે સ્પષ્ટ રીતે જોઈ અને જાણી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir