બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Manisha Jogi
Last Updated: 07:20 PM, 15 November 2023
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અબ્દુલ રઝાકે વિવાદ ઊભો કરી દીધો છે. અબ્દુલ રઝાકે વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની ટીમના પ્રદર્શનની ટીકા કરી હતી અને ભારતીય બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયનું અપમાન કર્યું હતું. અબ્દુલ રઝાકના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કરવામાં આવ્યો. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. અબ્દુલ રઝાકે આ અંગે માફી માંગી છે.
અબ્દુલ રઝાકે વિડીયો જાહેર કર્યો
વિવાદ વધી જવાને કારણે અબ્દુલ રઝાકે આ પ્રકારનું નિવેદન આપવા બાબતે માફી માંગી છે. અબ્દુલ રઝાકે વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે, તે કોઈની લાગણી દુભાવવા નહોતો માંગતો. અબ્દુલ રઝાકે વિડીયોમાં જણાવ્યું કે, ‘કાલે અમે ક્રિકેટ કોચિંગ અને ઈરાદા બાબતે વાત કરી રહ્યા હતા. મારી જીભ લપસી ગઈ અને મેં ભૂલથી ઐશ્વર્યા રાયનું નામ લીધું. હું વ્યક્તિગત રીતે તેમની માફી માંગુ છું. કોઈની લાગણી દુભાવવા નહોતો માંગતો.’
We were talking about cricket yesterday, and I meant to give a different example, but Aishwarya's name slipped out of my mouth. I'm sorry 🙏 #AishwaryaRai #AbdulRazzaq pic.twitter.com/LKp2uFNxXm
— Abdul Razzaq (@AbdulRazzaq_PAK) November 14, 2023
અગાઉ શું કહ્યું હતું?
પ્રેસ કોન્ફરન્સમાં અબ્દુલ રઝાકની સાથે શાહિદ અફરીદી અને ઉમર ગુલ પણ હતો. અબ્દુલ રઝાકે જણાવ્યું હતું કે, ‘હું PCBના ઈરાદાનો ઉલ્લેખ કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો, ત્યારે મને કેપ્ટન યૂનિસ ખાનના સારા ઈરાદાની ખબર હતી. જેથી મને તાકાત અને આત્મવિશ્વાસ મળ્યો. અલ્લાહની મદદથી પાકિસ્તાની ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો. મારું માનો તો હકીકતમાં અમારો ખેલાડીઓને સુધારવાનો અને આગળ વધારવાનો ઈરાદો નથી. જો તમે એવું વિચારો કે, હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને ગુણવાન બાળકો પેદા થશે, તો આવું ક્યારેય પણ ના થઈ શકે. જે માટે તમારે પહેલા નિયત ઠીક કરવાની રહેશે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime