બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Khyati
Last Updated: 06:10 PM, 28 March 2022
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ બતાવ્યા બાદ હવે ગુજરાત પર નજર મંડરાઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે જેને લઇને આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વૉર તો ચાલી જ રહ્યુ છે પરંતુ હવે ચૂંટણી ટાણે જનતાનું દિલ જીતવાનો આપ દ્વારા કોઇ મોકો છોડવામાં આવશે નહી તેમ લાગી રહ્યું છે. ત્યારે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પીએમ મોદીના પગલે ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. જેમ પીએમ મોદીએ રોડ શૉ યોજ્યો હતો તેવી જ રીતે કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતમાં આવીને શક્તિપ્રદર્શન કરશે.
2એપ્રિલે કેજરીવાલ-ભગવંતમાન ગુજરાતમાં
હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. આગામી 2 એપ્રિલના રોજ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદ આવશે. અમદાવાદમાં AAP દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે.
અમદાવાદમાં AAPનો રોડ શૉ
અમદાવાદમાં આમ આદમી પાર્ટીનો રોડ શૉ યોજાશે. જેની શરુઆત નિકોલના ખોડીયાર મંદિરથી થશે.. જે બાદમાં બાપુનગર એપ્રોચર થઈને સરદાર મોલ સુધી જશે.. આ રોડ શો બપોરે 2 વાગે યોજાશે.. અને રોડ શો માટે AAPએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા પીએમ મોદીએ પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં રોડ શૉ યોજ્યો હતો. જેને જનતાનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદના લોકો આમ આદમી પાર્ટીના રોડશોમાં કેવો પ્રતિસાદ આપશે તે જોવુ રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા