બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A very ancient temple of Nrisimhaji Bhagwan is located at Kodinar in Gir Somnath

દેવ દર્શન / વ્હાલ અને કાળના સમન્વય એટલે નૃસિંહ ભગવાન, કોડીનારમાં આવેલું છે પ્રાચીન મંદિર, અહી સ્વામીની ચાખડીનો આવે છે અવાજ!

Dinesh

Last Updated: 10:59 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: સમગ્ર ભારતમાં અતિ પ્રાચીન નૃસિંહજીના કુલ 11 મંદિર આવેલા છે.જે પૈકીનું એક મંદિર કોડીનાર ખાતે આવેલું છે, નૃસિંહ જયંતીના દિવસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મંદિરે રચાય છે

  • કોડીનાર ખાતે પ્રાચીન નરસિંહ મંદિર
  • સમગ્ર ભારતમાં નરસિંહના કુલ 11 મંદિર 
  • વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર નરસિંહ ભગવાન


ગીર સોમનાથનાં કોડીનાર ખાતે અતિ પ્રાચીન નૃસિંહજી ભગવાનનું મંદિર આવેલું છે. સમગ્ર ભારતમાં અતિ પ્રાચીન નૃસિંહજીના કુલ 11 મંદિર આવેલા છે.જે પૈકીનું એક મંદિર કોડીનાર ખાતે આવેલું છે.નૃસિંહ જયંતીના દિવસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મંદિરે રચાય છે. અને ભાવિકો ભગવાન નૃસિંહજી પ્રાગટ્યોત્સવને માણે છે. ગીરના કોડીનાર ખાતે આવેલા નૃસિંહજી ભગવાનનું મંદિર સમગ્ર ભારતના મુખ્ય 11 અતિ પ્રાચીન નૃસિંહજી મંદિર પૈકીનું એક પ્રાચીન મંદિર છે.વર્ષોથી વૈશાખ સુદ ચૌદસનાં દિવસે ભગવાન નૃસિંહજી પ્રાગટ્યોત્સવ ઉજવાય છે.સંધ્યા સમયે ભગવાન નૃસિંહજીનું પ્રાગટ્ય થાય છે. અતિ ક્રૂર રાજા હિરણ્ય કશ્યપુનો અંત લાવી ભગવાન નૃસિંહજીએ પોતાના ભક્ત પ્રહલાદને સાક્ષાત દર્શન આપી હિરણ્ય કશ્યપૂનાં ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી.

હિરણ્ય કશ્યપુનો નખ વડે વધ કર્યો 
ગીર સોમનાથ જિલ્લાનું એક માત્ર પુરાતન નૃસિંહજી મંદિર કોડીનારમાં આવેલું છે.પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનું અત્યાર સુધીમાં બે વખત રીનોવેશન કરવામાં આવ્યું છે. નૃસિંહજી મંદિરે કનકાઈ માતાજી, શીતળા માતાજી તથા કાશી વિશ્વનાથ મહાદેવ પણ બિરાજમાન છે.હનુમાનજી અને ગણેશજીની પ્રાચીન પ્રતિમાઓ પણ મંદિરમાં દર્શનીય છે.વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર ગણાતા નૃસિંહ ભગવાન સાક્ષાત બિરાજે છે.મંદિરે નૃસિંહ ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.સેંકડો ભાવિકો ભગવાન નૃસિંહજી પ્રાગટ્યોત્સવને માણે છે.ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગ્રામ્ય પંથકમાંથી ભાવિકો દર્શને આવે છે.નૃસિંહ ભગવાનની માનતા રાખે છે.અને ભગવાન સૌની માનતા અને મનોકામના પૂર્ણ કરે છે.નૃસિંહ ભગવાનના પરમ ભક્ત પ્રહલાદને ભગવાને સ્થંભમાંથી પ્રગટ થઈ બચાવી હિરણ્ય કશ્યપુનો પોતાના નખ વડે વધ કર્યો હતો ત્યારબાદ ભગવાનનો ક્રોધ ભક્ત પ્રહલાદે શાંત કર્યો ત્યારે ભગવાન પોતાના પ્રિય ભક્ત પ્રહલાદને તેડીને ભેટે છે. તે ઘટનાની પ્રાચીન મૂર્તિ મંદિરમાં દર્શનીય છે.

મંદિરનો ઉલ્લેખ સ્કન્ધ પુરાણમાં 
ગીરના કોડીનાર ખાતે બ્રહ્મપુરી નજીક આવેલુ પ્રાચીન નૃસિંહજી મંદિર અનેક લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનો ઉલ્લેખ સ્કન્ધ પુરાણમાં પણ જોવા મળે છે. મંદિરનુ બાંધકામ નાગર શૈલીનું છે. જીણી-જીણી કોતરણી અને પુરાતન કમાનો મંદિરની શોભા વધારે છે. મંદિરનાં ગર્ભગૃહમાં જતા જ પરમ શાંતિની અનુભૂતિ થાય છે. અબાલ વૃદ્ધ સૌને ભગવાન નૃસિંહજી પર પરમ શ્રદ્ધા છે. અને મંદિરમાં આવી શાંતિનો આહેસાસ કરે છે.ભગવાન નૃસિંહજીની જે કોઈ માનતા રાખે છે તેની માનતા એક વર્ષમાં પુરી થાય છે.અનેક રોગોમાંથી ભગવાન નૃસિંહજી પીડિતને મુક્તિ આપે છે.ભગવાનને પ્રસાદમાં પેંડા,ઠંડાઈ અને શીતળ જળ ધરવામાં આવે છે. આ જગ્યા સનાતની સન્યાસીની છે. જનાર્દન સ્વામીની જીવતી સમાધિ પણ છે. લોક વાયકા અનુસાર જનાર્દન સ્વામી  ઘણી વખત અહીંથી ચાલીને જતા હોય તેમ ચાખડીનો અવાજ પણ આવે છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સંતને પણ શીશ નમાવે છે. 600 વર્ષ પહેલા જનાર્દન સ્વામી નૃસિંહ ભગવાનની પૂજા કરતા હતા. આ મંદિરને જાગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. 

મંદિરને જાગીર તરીકે પણ ઓળખવામાં આવે છે
ભગવાન નૃસિંહજી પોતે જમીન જાગીરદાર હતા. મંદિર પાસે સેંકડો વિઘા જમીન હતી.'ખેડે એનું ખેતર રહે તેનું ઘર' યોજના બાદ આ જમીન જે ખેડૂતો ખેડતા હતા તેઓને મળી ગઈ. શ્રદ્ધા આસ્થા સાથે ભાવિકો મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ પણ મંદિરના ઈતિહાસને જાણી ગૌરવ અનુભવી વારંવાર મંદિરે આવવાની ઈચ્છા રાખે છે.મંદિર નજીકમાં આવેલું જંગલેશ્વર મહાદેવનું મંદિર પણ નૃસિંહજી મંદિર ટ્રસ્ટના નેજા તળે વિકાસ પામી રહ્યું છે. આ પ્રાચીન નૃસિંહજી મંદિરનો વિકાસ થાય તેમજ આ પુરાતન મંદિરને તીર્થ સ્થળ તરીકે વિકસાવવુ આવકાર્ય છે. મંદિરમાં આરતી સમયે મંદિરમાં દિવ્યતાના દર્શન થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ