બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Kishor
Last Updated: 04:33 PM, 23 June 2023
રાજ્યમાં દિવસેને દિવસે વધતી જતી અકસ્માતની ઘટનાએ સૌથી વધુ ચિંતાજનક બાબત ગણવામાં આવી રહી છે. છાશવારે માર્ગ અકસ્માતને પગલે અનેક લોકો કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતની ઘટનાનો ચિંતાજનક સિલસિલો અટકે તે જરૂરી છે. આવી સ્થિતિ વચ્ચે આજે અરવલ્લીના મેઘરજના કાલીયા કૂવા નજીકનો માર્ગ મરણચીસોથી ગુંજયો હતો. અકસ્માતમાં 3 યુવકના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજસ્થાનની સરહદની સરથુણા ચોકડી નજીક કાળ બનેને આવેલ ડમ્પરે બાઈકને આડફેટે લેતા ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા મેઘરજના ડચકા બેલ્યો ગામના ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયતા સમગ્ર પંથકમાં અરેરાટી સર્જાઈ હતી. સાથે એક ગ ગામના ત્રણ યુવાનોની આર્થી ઉઠતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસે ઘટનાસ્થળે તપાસ અર્થે દોડી ગઇ હતી.
સુરત નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત
બીજી બાજુ સુરતમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં, સુરતના કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. બેફામ ડમ્પર ચાલકે ત્રણ લોકોને કચડ્તા ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયા બાદ અચાનક ડમ્પરમાં આગ લાગી હતી. ડમ્પર ખસેડતા સમયે અચાનક આગ લગતા તાત્કાલિક ફાયરની ટીમ દ્વારા સ્થળ પર પહોંચો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આ સાથે કામરેજ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ઈસનપુર ગોવિંદવાડી પાસે અકસ્માત
તો અમદાવાદમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના ઈસનપુર ગોવિંદવાડી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો ટરના ઢાંકણામાં ટાયર ફસાઇ જતા ટ્રક પલટી મારી ગયો હતો. સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime