બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / 6 deaths in 3 drowning incidents in Gujarat today

ગોઝારો રવિવાર / ભરૂચમાં કાકો ભત્રીજો નહેરમાં ન્હાવા પડ્યા અને.., કચ્છમાં મહિલા અને 2 બાળકો સહિત ગુજરાતમાં આજે ડૂબવાની 3 ઘટનામાં 6 મોત

Vishal Khamar

Last Updated: 09:51 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંડવીનાં મોટી રાયણ ગામે કેનાલમાં ડૂબી જતા તેમજ સંજાલી ગામે નહેરમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજાનાં મોત નિપજ્યા હતા. જ્યારે નવસારીમાં નદીમાં ન્યાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાને પગલે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

  • માંડવીના મોટી રાયણમાં કેનાલમાં ડૂબી જતા 3 ના મોત
  • મહિલા તેના 2 દિકરાઓ સાથે કેનાલમાં ડૂબ્યા હતા
  • સંજાલી ગામની નહેરમાં કાકા-ભત્રીજા ડૂબી જતા મોત નિપજ્યું હતું
  • બંન્ને યુવકોના મૃતદેહ નહેર માંથી મળી આવ્યા

કચ્છનાં માંડવીના મોટી રાયણમાં કેનાલમાં ડૂબી જતા 3 ના મોત થયા હતા. ત્યારે મહિલા તેના 2 દિકરાઓ સાથે કેનાલમાં ડૂબ્યા હતા. નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને પગલે પોલીસે કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

મહિલાએ શા કારણથી આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી હતી. ત્યારે કેનાલમાં મહિલા તેનાં બે દિકરાઓ સાથે અચાનક ડૂબી જવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે પોલીસે મહિલાએ શા કારણથી આપઘાત કર્યો તે દિશામાં તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

બંન્ને યુવકોના મૃતદેહ નહેર માંથી મળી આવ્યા
ભરૂચનાં સંજાલી ગામની નહેરમાં કાકા-ભત્રીજા ડૂબી ગયા હતા. કાકા-ભત્રીજાનાં મૃતદેહ નહેરમાંથી મળી આવ્યા હતા. કાકા-ભત્રીજા ખાનગી કંપનીમાં સાથે કામ કરતા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે.  ત્યારે નહેરમાં ન્હાવા ગયા તે સમયગાળા દરમ્યાન આ દુર્ઘટના બની હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ આસપાસનાં લોકોને થતા લોકોએ તાત્કાલી ફાયર ફાઈટરને આ ઘટનાની જાણ કરી હતી. અને ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી બે યુવકોની લાશને બહાર કાઢી હતી. 

ઉંડાચ ગામે નદીમાં નાહવા પડેલા યુવકનું મૃત્યુ
નવસારીના બીલીમોરાનાં ઉંડાચ ગામો નદીમાં નાહવા પડેલા યુવકનું મૃત્યું થયું હતું. જેમાં ઉમેદ વસાવા નામના યુવકનું નદીમાં ડૂબી જવાથી મૃત્યું થયું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ કરી હતી. લાંબા સમયની શોધખોળ બાદ યુવકના મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ